જસદણના જુના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની થતી ખરીદીમાં એજન્સીના અધિકારીઓ ખેડૂતોની કનડગત કરી રહ્યા હોવાનું અને ખેડૂતો સાથે જબરદસ્તી કરતા હોવાના વિડિયો વાયરલ થયા છે.
જેમાં જણાવ્યા મુજબ જસદણ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી લઈને આવેલા ખેડૂતો પાસેથી ગુજકોમાસોલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે, તેમાં 130થી 140નો ઉતારો આવે છે તે મગફળીને પાસ કરવામાં આવે છે અને પછી ખરીદી કરવામાં આવે એવો નિયમ છે, પરંતુ જસદણમાં અનેક ખેડૂતભાઈઓની મગફળી ખરીદી કરી લીધી ત્યારબાદ બિલ આપી દીધું અને પાઽચ દિવસ પછી એજન્સીવાળા એમ કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે માટે માલ પાછો લઈ જાવ. જેથી જસદણ પંથકમાં અનેક ખેડૂતો એજન્સીની આવી કનડગતનો શિકાર બન્યા અંગે રજૂઆત કરવા જતા એજન્સીના અધિકારીઓ રિજેક્શનનું કારણ આપતા નથી અને જબરદસ્તી કરતા હોવાની ખેડૂતોએ યાર્ડના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી.
એજન્સીના અધિકારીઓને પૂછતા તેઓ ઉપર ગોડાઉનને રિજેક્ટ કર્યું હોય તેવું કહી રહ્યા છે, ખેડૂતો મગફળી કયા કારણે રિજેક્ટ થઈ તેની રજૂઆત કરતા એજન્સીના માણસો અને ખેડૂતો વચ્ચે બબાલ થઇ હતી, ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech