વર્ષ નબળુ હોવાની સાથે ખેડૂતોને વધારાનો આર્થિક માર, બોટલ વગર ખાતર આપવામાં આવતું ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ: સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ
ધ્રોલમાં ખેડૂતોને ડીએપી ખાતરની ત્રણ થેલી સાથે એક નેનો ડીએપીની એક બોટલ ફરજીયાત ન હોય છતાં ફરજીયાત આપવાની સરકારની બે ધારી નિતીનાં આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. એક તો વરસ નબળું અને ખેડૂતોને ઉપરથી ફરીજીયાત નેનો ડીએપીની બોટલનો માર આવી પરિસ્થિતિમાં ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ બાબતે ખુદ ખાતર ખરીદવા જઇ વિડીયો બનાવી કૃષિ મંત્રી અને સરકારને સવાલો કયર્િ છે.
ધ્રોલ તાલુકામાં હાલમા એક તો ડીએપી ખાતરની અછત ખાતરનો સ્ટોક 20 દિવસ મોડો આવ્યો છે. છે. ઘણાં બધાં વિસ્તારોમાં એક બાજુ પીયત માટે પાણી ની અછત છે ત્યારે ખાતર મળતુ ન હોવાથી ખેડૂતોને રવિપાકનું વાવેતર કરવામાં મોડું થયું છે. આથી ખેડૂતની હાલત બગડે તેમ છે. એક બાજુ કૃષિમંત્રી વિધાનસભામાં જાહેરાત કરે છેકે ડીએપી સાથે નેનો ડીએપી લેવું ફરજીયાત નથી.
પરંતુ સ્થિતિ એથી ઉલટી હોવાનાં આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતોને ફરજીયાત ત્રણ થેલી ડીએપી સાથે ફરજીયાત એક નેનો ડીએપીની 600/- ની કિંમતની બોટલ આપવામાં આવે છે. અન્યથા ખાતર આપવામાં આવતું નથી. આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સહકારી મંડળી અને ખાતરનાં વિક્રેતાઓ પણ કહે છેકે અમોને ફરજીયાત બીલ સાથે આપવામાં આવે છે. જેનાં બીલો પણ વિક્રેતાઓ બતાવે છે. આ બાબતે સરકાર સ્પષ્ટતા કરે કે ખરેખર વાસ્તવિકતા શું છે. તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech