ખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલાપી ઘાસચારો પણ સડી ગયો. મોંઘા ભાવના બિયારણ,ખાતર દવા અને મજૂરીના મસમોટા ખર્ચા સામે ઉપજ ઝીરો થતા ખેડૂતોના અરમાનો રોળાઈ ગયા છે. સરકાર તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને સહાય કરે તો જ શિયાળું પાકનું ખેડૂતો વાવેતર કરી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
સૌરાષ્ટ્ર્રમાં ચાલુ વર્ષે ૧૫૦ ટકા જેટલો વરસાદ પડો જેથી પેલાંથી જ પાકનું ચિત્ર ધૂંધળું થઈ ગયું હતું. તેમ છતાં ખેડૂતોએ મહામૂલી દવાઓ, ખાતર પાક પર નાખી થોડો ઘણો પાક બચાવ્યો હતો. પરંતુ જેતપુર પંથકમાં છેલ્લ ા ઘણા દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે મગફળી, સોયાબીન, કપાસ અડદ, મગ જેવા પાકનો સોથ વળી ગયો છે. મગફળી અને સોયાબીનના પાક તો મોટાભાગના ખેડૂતોએ લણી લઈને પાથરાપી ખેતરોમાં સુકાવવા રાખ્યા હતાં તેના ઉપર સતત પડી રહેલા વરસાદને કારણે પાથરા સડી ગયા તેમાં ફગ થઈ ગઈ. અને બીજા પાકોમાં કપાસ તો ભારે પવન સાથે વરસાદને કારણે ભાંગીને ઢળી પડો છે.
આ અંગે નવી સાંકળી ગામના સરપચં ગોવિંદભાઇ વાલાણીએ જણાવેલ કે, અમારે ખેડૂતોને ખેત ઉપજની આવક પર જ સારા નરસા પ્રસંગનો નિભાવ કરવાનો હોય, દિવાળી બાદ તરત જ લનો મહિનો આવે તેમાં ઘણા ખેડૂતો દીકરા દીકરીના લનું વિચાયુ હોય, બાળકોના સ્કૂલની ફિ ભરવાની હોય પણ આ વખતે સતત પડી રહેલા પછોતરા વરસાદને કારણે નજર સામે તૈયાર પાક સળતા જોયું તળાતા જોયો જે જોઈને ખેડૂતોના અરમાન પર પાણી ફરી ગયા. આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે તાત્કાલીક સર્વે કરી સહાય ચુકવવાની માંગ કરી રહ્યા છે. અને જો સરકાર દ્રારા સહાય ચુકવવામાં નહી આવે તો શિયાળું પાકનું વાવેતર શકય જ નહી થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech