ગુજરાત રાજ્યના એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી કરવા સંબંધેના નિયમો તૈયાર કરી દેવામાં આવ્યા બાદ કોઇ ચોક્કસ કારણથી જાહેર કરવામાં નહીં આવતા હોવાથી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. એક વર્ષથી આ મુદ્દે રજુઆતો કરીને થાકી અને કંટાળી ગયેલા શિક્ષકો દ્વારા આખરે અંતિમ ઉપાય તરીકે આજ થી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર આમરણ અનશન પર બેસવાની જાહેરાત કરી દીધી છે. પરિણામે આજથી પાટનગરમાં આંદોલનના મંડાણ થઈ ચૂક્યા છે
ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ, સુચિત દ્વારા ઉપરોક્ત આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. બદલીના નિયમો જાહેર થાય તેની કાગડોળે રાહ જોઇ રહેલા શિક્ષકો દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું, કે તારીખ પે તારીખના રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નાટક કોઇ અંત આવી રહ્યો નથી. સરકારમાં વિવિધ કક્ષાએ આ મુદ્દે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરામાં આવી છે. ત્યારે એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી કરવા સંબંધેના નિયમો તૈયાર કરી દેવામાં આવ્યા હોવાની માત્ર વાતો કરવામાં આવે છે અને માત્ર ભ્રમિત કરતાં આશ્વાસન આપવામાં આવી રહ્યાં છે.
સંઘના સભ્યોના સોશિયલ મિડીયા ગ્રુપમાં પણ આમરણ અનશનના એલાનને વાઇરલ કરીને રાજ્યના દરેક જિલ્લા તાલુકામાંથી વધુમાં વધુ શિક્ષકો ગાંધીનગર ઉમટી પડે તેના માટે આહવાન કરવામાં આવ્યા છે. તેમા જણાવાયુ છે, કે હવે કોઇ સભ્યોએ તારીખના દુષ્પ્રચારથી ભ્રમિત થવાનું નથી. આ પ્રકારે આંદોલનને નબળું પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જ્યાં સુધી એચટાટ મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર ન થાય ત્યાં સુધી અનશન આંદોલન ચલાવવા એલાન આપવામાં આવ્યું છે.
ટાટ શિક્ષકોના બદલીના નિયમો ટૂંક સમયમાં જાહેર કરાશે: શિક્ષણ મંત્રી
રાજ્યમાં શિક્ષકોની ભરતીની જાહેરાત થઇ ગઇ છે ત્યારે ટૂંક સમયમાં એચ-ટાટ શિક્ષકોના બદલીના નિયમો પણ જાહેર કરવામાં આવશે. શૈક્ષણિક સંગઠન દ્વારા આજથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામા આવી છે.તે સંદર્ભમાં શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે એચ-ટાટ શિક્ષકોને બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાથી ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી છે. તો શૈક્ષણિક સંગઠન દ્વારા સરકારે આ મુદ્દે જે ડ્રાફ્ટ બનાવ્યો છે તે પ્રમાણ ઝડપથી સત્તાવાર રીતે જાહેરાત કરાય તેવી માગણીને વણગી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMખેડૂત નેતા રાકેશ ટિકૈતની પાઘડી ઉછાળવાનો મામલો ગરમાયો
May 03, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech