કાકી અને પિતરાઈ બહેન સામે ફરિયાદ : દરવાજાને સ્ટોપર મારી દેવાનો મામલો કારણભુત
જામનગરના દિ.પ્લોટ 17 વિસ્તારમાં દરવાજાની સ્ટોપર મારવાના મામલે મહિલા એડવોકેટને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધાની બે મહિલા સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસ્થા કરતા મીરાબેન શાંતિલાલ અઘેડા (ઉ.વ.32)એ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભાવનાબેન જગદીશભાઈ અઘેરા અને નિશાબેન જગદીશભાઈ અઘેરા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તા. 25ના તેઓ પોતાના ઘેર હતા, જે દરમિયાન તેના ઉપરના માળે જ રહેતા નિશાબેન જગદીશભાઈ ઘરમાં ધસી આવ્યા હતા, અને તેં અમારા ઘરના દરવાજા પર બહારથી સ્ટોપર શું કામ મારી દીધી હતી, તેમ કહી તકરાર કરી હતી.
જે દરમિયાન ભાવનાબેન અઘેડા આવી ગયા હતા અને બન્નેએ અપશબ્દો બોલી તેમજ ઢીકાપાટુનો માર મારીને અમારા મના દરવાજામાં સ્ટોપર મારીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી.
આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે એડવોકેટ મીરાબેનની ફરિયાદના આધારે તેણીના કાકી અને પિતરાઈ બહેન સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દાના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો
June 17, 2025 02:47 PMપાલીતાણાના મોખડકા સહીત ત્રણ ગામોમાંથી ૩૧ લોકોને રેસ્ક્યુ કરાયા
June 17, 2025 02:46 PMગારિયાધારના લુવારા અને ફિફાદ વચ્ચે મેરામણ પુલમાં ખાનગી બસ ફસાઈ
June 17, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech