માણાવદર વર્ધમાન જિનિંગમાં વિકરાળ આગ, કરોડો રૂપિયાનું નુકસાન

  • May 02, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માણાવદર મીતડી રોડ ઉપર આવેલા વર્ધમાન જીનીગ એન્ડ પ્રેસીગ ફેકટરી મા લાગેલ વિકરાળ આગથી અંદાજે ત્રણ કરોડની નુકસાનનો અંદાજ ૩૫ થી ૪૦ ગાડી જેટલો કપાસ બળીને ખાખ થઈ ગયો . બપોરે સાડા ત્રણ આસપાસ કપાસની ગાડી ભરેલો ટ્રક ઉતરતો હતો અને અચાનક આગ લાગતા બાજુમાં રહેલ કપાસમાં વિકરાળા આગ લાગી ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ માં પણ સ્થળ ઉપર પહોંચ્યા  હતા, માણાવદર મામલતદાર મહેશભાઈ શુકલ માણાવદર પીએસઆઇ સોલંકી સહિતનાએ  સ્થળ વિઝીટ કરી હતી. આગને કારણે વેપારીને અંદાજે ત્રણ કરોડ જેવી નુકસાની હોવાની શકયતા વર્તાઈ રહી છે. આગ બુજાવવા માટે કેશોદ થી ફાયર ફાઈટર બોલાવવા પડા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application