અનોખી છે વિજય અને રશ્મિકાની લવસ્ટોરી, સગાઈની ડેટ થઈ ફિક્સ
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે લાંબા સમયથી કશું ચાલી રહ્યું છે એવામાં હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
અફવા છે કે વિજય દેવરકોંડાએ જ રશ્મિકા મંદાના સાથે સગાઈ કરી લીધી. ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમની સગાઈ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થશે.
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની અફવાઓ સાચી થાય તેની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી બંને ડેટ કરી રહ્યા છે અને વિજય દેવરકોંડાએ હાલ જ રશ્મિકા મંદાના સાથે સગાઈ કરી લીધી હતી એવી અફવા હાલ લોકો વચ્ચે ચર્ચાની વિષય બની છે.
હવે એ વાત તો એમના દરેક ચાહકો જાણે છે કે બંને વચ્ચે લાંબા સમયથી કશું ચાલી રહ્યું છે એવામાં હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના શૂટિંગ દરમિયાન વિજય દેવરાકોંડા અને રશ્મિકાના એકબીજાની નજીક આવ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું, ત્યારબાદ 'ડિયર કોમરેડ'માં જોવા મળ્યા હતા.
ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે રશ્મિકા દરેક તહેવાર પર વિજય દેવરાકોંડાના ઘરે આવે છે. આ સિવાય એવી પણ અફવા છે કે બંને રજાઓ ગાળવા માલદીવ પણ ગયા હતા. એવામાં હવે સાંભળવા મળ્યું છે કે વિજય-રશ્મિકા લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને ટૂંક સમયમાં સગાઈ પણ કરશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સગાઈ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થશે. જો કે આ દાવાઓમાં કેટલું સત્ય છે તે ત્યારે જ ખબર પડશે.
વિજય દેવરાકોંડાની સામંથા રૂથ પ્રભુ સાથેની ફિલ્મ 'ખુશી' 1 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ હતી. જો તેની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો 'ફેમિલી સ્ટાર' ફિલ્મની રિલીઝ ડેટ કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવી છે, જેમાં તેની સામે મૃણાલ ઠાકુર જોવા મળશે. સમાચાર છે કે આ ફિલ્મ 18 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે.
રશ્મિકાની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં તેલુગુ ફિલ્મ 'પુષ્પા 2'માં કામ કરી રહી છે. જેમાં અલ્લુ અર્જુન મુખ્ય હીરો છે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ 'રેમ્બો'નો પણ હિસ્સો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech