પ્રથમ વખત માતા બનવું એ એક એવી લાગણી છે જે લગભગ દરેક સ્ત્રી અનુભવવા માંગે છે અને તેની ઝંખના કરે છે. જો કે જ્યારે કોઈ સ્ત્રી પ્રથમ વખત માતા બને છે, ત્યારે તે બાળકની સંભાળ લેતી વખતે ઘણી વાર ચિંતિત થઈ જાય છે. એવી ટિપ્સ વિષે જાણવું જોઈએ જેની મદદથી માતૃત્વનો આનંદ માણી શકાય.
પહેલીવાર મા બન્યા બાદ દરેક મહિલા ખુશી તો અનુભવે છે, પરંતુ તેની સાથે તેના પર મોટી જવાબદારીઓ પણ આવી જાય છે. આ સિવાય પડકારો પણ વધે છે. સગર્ભા સ્ત્રી નવમાં મહિના દરમિયાન સૌથી વધુ ભાવનાત્મક અને શારીરિક રીતે નબળી હોય છે. તે જ સમયે બાળકના જન્મ પછી, હોર્મોનલ અસંતુલનની સાથે, નવજાતની સંભાળ લેવાનું દબાણ વધે છે. આ સિવાય લોકોની અપેક્ષાઓ પણ વધી જાય છે અને તેઓ શરીરમાં થતા ફેરફારોથી પણ અજાણ હોય છે. આ કારણે આ સમયગાળો તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે.
ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કરો
ડિલિવરી પછીના શરૂઆતના મહિનાઓ નવી માતા માટે ખૂબ જ તણાવપૂર્ણ હોય છે. ચાઈલ્ડ કેરથી લઈને ઘરની સફાઈ સુધી તે કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. જો કે તેનો ઉદ્દેશ્ય માત્ર બાળકને સુરક્ષિત વાતાવરણ આપવાનો છે પરંતુ આ બધાની પ્રક્રિયામાં તે પોતાની જાત પર દબાણ વધારતી રહે છે. આવી સ્થિતિમાં તે ભૂલો પણ કરે છે. જો નવી માતા બની હોય તો હંમેશા પરફેક્ટ બનવાની કોશિશ ન કરો. પહેલાની જેમ દિનચર્યાને અનુસરવાનો પ્રયાસ કરો. બાળકની નાની-નાની પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ, જેનથી ખુશ રહી શકશો. જો બાળક રડે છે અને તેને શાંત કરી શકતા નથી તો નિરાશ કે પરેશાન ન થાઓ.
તણાવને હાવી ન થવા દો
ડિલિવરી પછી, સ્ત્રીઓ ઘણીવાર તણાવ અનુભવવા લાગે છે. તે તેના બાળક સાથે સમય પસાર કરતી વખતે ખુશ રહે છે, પરંતુ ઘણી વસ્તુઓ વિશે વિચારતી વખતે તે તણાવમાં રહે છે. આવી સ્થિતિમાં તમારા ડૉક્ટર અથવા મિત્રો સાથે વાત કરો, જે તમને ટેન્શનથી દૂર રહેવામાં મદદ કરશે. આ સમય દરમિયાન સારી રીતે સૂવાનો પ્રયાસ કરો. નોંધનીય છે કે પ્રેગ્નન્સીથી લઈને ડિલિવરી સુધી દરેક મહિલાના શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. વજન ઘણું વધી જાય છે, જેના કારણે સુંદરતા ઘટી જાય છે અને સ્વાસ્થ્ય પણ બગડે છે. તેના વિશે બિલકુલ વિચારશો નહીં. થોડા સમય પછી, ડૉક્ટરની સલાહ લો અને કસરત અને યોગ વગેરે કરો, જે વજન ઘટાડવામાં મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech