જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ દ્વારા 'સ્ટાઈકર ડોગ' મારફતે સમગ્ર એરપોર્ટ પર સધન ચેકિંગ કરાયું: સબ સલામત
વડોદરા ના એરપોર્ટને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલ ના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે, જેના પગલે જામનગરના એરપોર્ટ પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.
જામનગરની બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડના પીએસઆઇ આર.સી. દેસાઈ, તેમજ એ.એસ.આઈ. ડી.યુ.અગ્રાવત, એલ.એમ. લૈયા, અને કે. એચ. વ્યાસ, તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વી.બી. જાડેજા, અને ડોગ હેન્ડલર વિજયભાઈ રૂડાચ વગેરે તાત્કાલિક અસરથી જામનગરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.
જ્યાં સમગ્ર ટીમેં જામનગરના પોલીસ દળ સાથે જોડાયેલા 'એસક્પ્લોઝીવ ડિટેક્ટર ડોગ - સ્ટાઈકર' ને સાથે રાખીને સમગ્ર પરિસર નું સધન ચેકિંગ કર્યું હતું, અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું ન હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજુ પણ એરપોર્ટ પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech