રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2024થી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ લગભગ 2 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન શેરબજારની હાલત પણ ખરાબ રહી છે અને જ્યારે બીએસઈ સેન્સેક્સ લગભગ 10ટકા ઘટ્યો છે, ત્યારે મિડકેપ 19 ટકા અને બીએસઈ સ્મોલકેપ 21 ટકા ઘટ્યા છે. જો ફક્ત ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારોમાંથી 21,272 કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને જાન્યુઆરીમાં પાછા ખેંચાયેલા 78,027 કરોડ રૂપિયાના ઉમેરા સાથે લગભગ 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વિદેશી રોકાણકારોની ઉદાસીનતા ફક્ત ભારતીય બજારો પ્રત્યે જ નથી દેખાતી પરંતુ એફઆઇઆઇ અન્ય ઉભરતા બજારોમાંથી પણ નાણાં પાછા ખેંચી રહ્યા છે. કોટક સિક્યોરિટીઝના મતે ભારતની સાથે આ યાદીમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા, તાઇવાન અને વિયેતનામ જેવા બજારોનો પણ સમાવેશ થાય છે. જોકે ભારતીય બજારોમાંથી સૌથી વધુ ઉપાડ જોવા મળ્યો છે.
નિષ્ણાતોના મતે, વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે તેના ઘણા કારણો છે. તેમની ભાવિ વ્યૂહરચના ડોલર ઇન્ડેક્સમાં થતી વધઘટ પર પણ આધારિત રહેશે. હકીકતમાં, યુએસ ડોલરના સતત મજબૂત થવાને કારણે રોકાણકારો ઉભરતા બજારોમાંથી તેમના નાણાં પાછા ખેંચી રહ્યા છે અને ત્યાં રોકાણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય કંપનીઓના નબળા પરિણામોએ પણ રોકાણકારોની ભાવનાઓને અસર કરી છે, જેના કારણે વેચાણની ગતિ વધી છે.
એફઆઇઆઇ વેચાણ અંગે, વોટરફિલ્ડ એડવાઇઝર્સના સિનિયર ડિરેક્ટર-લિસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ વિપુલ ભોવર કહે છે કે વૈશ્વિક નીતિઓમાં ખાસ કરીને યુએસ નીતિઓમાં તાજેતરના ફેરફારોએ એફઆઇઆઇમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. આ ફેરફાર ભારત જેવા ગતિશીલ બજારોમાં તેમની રોકાણ વ્યૂહરચનાઓ બદલી રહ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકન સંપત્તિઓનું આકર્ષણ વધ્યું છે અને આ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે છે, જે રોકાણને વધુ સુરક્ષિત બનાવી રહ્યું છે. આ જ સૌથી મોટું કારણ છે કે રોકાણકારો અમેરિકન ઇક્વિટીમાં ઉપલબ્ધ સુરક્ષિત વળતર તરફ આકર્ષાઈ રહ્યા છે.
નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વિદેશી રોકાણકારોનો પ્રવાહ થોડા સમય માટે અસ્થિર રહી શકે છે. જોકે, જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યં હતું કે ડોલર ઇન્ડેક્સ ઘટશે ત્યારે એફઆઇઆઇની વ્યૂહરચના બદલાશે. તેમણે કહ્યું કે એવું થશે પરંતુ તે ક્યારે થશે તેની આગાહી કરી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech