મધ્યપ્રદેશના બીજાપુરમાં ફરી એકવાર સુરક્ષાદળો અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં ચાર નકસલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સાત નકસલવાદીઓ ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં સુરક્ષાદળોએ નકસલવાદીઓ વિદ્ધ અભિયાન શ કયુ છે. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નકસલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. નકસલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યેા હતો. સુરક્ષા દળોના જવાબી ગોળીબારમાં ચાર નકસલવાદીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા. આ સિવાય સાત નકસલવાદીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં નકસલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક નકસલી માર્યેા ગયો હતો. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી હથિયારો પણ જ કર્યા છે.
નોંધનીય છે કે બસ્તર લોકસભા સીટ માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે. આ વિસ્તાર નકસલવાદીઓનો ગઢ ગણવામાં આવે છે અને ચૂંટણી પર નકસલીઓનો પ્રભાવ દેખાતો રહે છે. ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તત્રં અને પોલીસ એલર્ટ મોડ પર છે.
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સુરક્ષા દળો દ્રારા નકસલવાદીઓ વિદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech