જ્યોતીગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ પાવર ચોરી કરવા માટે લંગરીયા વિજજોડાણ નાખતાં તેમાંથી વીજ આંચકો લાગ્યો: અધિકારીઓની ટુકડીઓ દોડતી થઈ ત્રણેય ખેડૂતો સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે પીજીવીસીએલ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર કંપની મારફતે થાંભલા પર નવી વીજલાઈન ઉભી કરવા અને સમારકામનું કામ કરાવવામાં આવી રહ્યું હતું.
જે દરમિયાન થાંભલા પર ચડેલા ચાર પર પ્રાંતિય શ્રમીકોને વીજ આંચકો લાગ્યો હતો, અને ચારેય શ્રમિક દાઝી ગયા પછી નીચે પટકાયા હતા, અને તેઓને સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે.
જે ચારેય શ્રમિકો પૈકી બે શ્રમિકોની હાલત વધુ ગંભીર ગણાવાઇ રહી છે. તેઓને ઇલેવન કેવીની લાઈન માંથી વીજ આંચકો લાગ્યો હતો, તેમજ નીચે પટકાઈ પડવાથી ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ બનાવની જાણ થતાં વિજ તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટુકડી દોડતી થઈ હતી, અને તપાસ કરતાં જ્યોતિર ગ્રામમાંથી સ્થાનિક ત્રણ ખેડૂતોએ લંગરીયા નાખીને પાવર ચોરી કરી હોવાથી જ્યારે શ્રમિકોને પાવર ચોરી થવાના કારણે વીજ પ્રવાહ રિટર્ન થતાં વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા.
વિજ તંત્રની ટીમ દ્વારા આ બાબતેનું સર્વે કર્યા પછી ત્રણેય ખેડૂતોના લંગરીયા વીજ જોડાણ કાપીને કબજે કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણેય ખેડૂતો સામે વીજ ચોરી કરવા અંગે અને બેદરકારી દાખવી શ્રમિકોને ઇજાગ્રસ્ત બનાવવા અંગે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આ બનાવને લઈને વીજ તંત્રમાં ભારે દોડધામ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech