જી.ટી.યુ. દ્વારા લેવાયેલ પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પુછાતા એ.બી.વી.પી. દ્વારા આ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ડિપ્લોમા સેમ-૨ ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં થયેલા છબરડા બાબતે ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ અને ગોઢાણીયા આઇ.ટી. એન્ડ એન્જિનિરીંગ કોલેજના આચાર્ય મારફતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષ ૧૯૪૯ થી વિધાર્થીઓના પ્રશ્ર્નોના નિરાકરણ માટે કાર્ય કરતુ ૬૦ લાખ થી વધુ સદસ્યો ધરાવતું વિશ્ર્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિધાર્થીઓના સમસ્યાને સમાધાન સુધી પહોચાડવાના પ્રયાસો અભાવિપ છેલ્લા ૭૬ વર્ષોથી કરતુ આવ્યું છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા સેમ-૨ ના એપ્લાઇડ મેથેમેટિક્સ, વિષય કોડના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા.જેનો સુધારો યુનિવર્સિટી દ્વારા ૧૨:૨૬ કલાકે મેઇલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા ૧૨:૪૫ થઈ ગઈ હતી. જ્યારે બીજો મેઇલ ૧૨:૩૧ કલાકના સમય દરમ્યાન વિધાર્થીઓને વધુ ૧ કલાક અને ૨૦ મિનિટ આપવાનો હતો પરંતુ વર્ગખંડમાં મોટાભાગના વિધાર્થીઓ પેપર આપીને જતાં રહ્યા હતા.ત્રીજો મેઈલ ૧૨:૫૬ કલાકે સુધારામાં પણ સુધારાનો હતો જે ખુબ જ ગંભીર વિષય છે. વિશ્ર્વ વિદ્યાલયની ગંભીર બેદરકારીનાં કારણે હજારો વિધાર્થીઓનાં ભવિષ્ય અંધારામાં ચાલ્યા ગયા છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા સેમ-૨ ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસિંગ આપવામાં આવે અને જે વિધાર્થીઓને પુન:પરીક્ષા આપવી હોય તેવા વિધાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે,ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના પ્રશ્ર્નપત્ર માટે મુલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે,આ વિષયમાં દોષી તથા પરીક્ષા વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech