પોરબંદર એ ગાંધીજી ની નગરી તરીકે ઓળખાય છે અને ગાંધીજીએ વિશ્ર્વભરને સ્વચ્છતા નો સંદેશ આપ્યો છે પરંતુ એ જ ગાંધીભૂમિ પોરબંદરમાં અનેક જગ્યાએ ગંદકી ખદબદત્તી જોવા મળી રહી છે. પોરબંદરમાં આવતા પ્રવાસીઓને વાહન પાર્કિંગ માટે જુના કોર્ટ કમ્પાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા પ્રવાસીઓ પોતાનું વાહન પાર્ક કરે છે પરંતુ જ્યારે તેઓ વાહનપાર્ક કરીને ગાંધીજીના સ્વચ્છતાના સિદ્ધાંતને સાકાર થશે તેવી આશા સાથે અહીં આવે છે પરંતુ અહીંના દ્રશ્યો જોતા ચારે બાજુ ખદબદતી ગંદકી જોઈને તેઓ આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. પોરબંદર નગરપાલિકાના તંત્રએ અહીં વ્યવસ્થિત સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ તેની સાથે પોરબંદરના શહેરીજનોએ પણ આ રીતે જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં તે ઇચ્છનીય છે. બહારથી આવતા પ્રવાસીઓ પોરબંદરની આબ લઈને જાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ગાંધીભૂમિની અને ગાંધીજીની ગરિમા હણાતી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે માટે તંત્ર અને લોકોએ સુધરવું જ રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech