દેશમાં આજે સવારે બે સ્થળે ઝેરી ગેસ લીક થવાની ઘટના સામે આવી છે.મહારાષ્ટ્ર્રના થાણે અને ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાંથી ગેસ લીક થતા લોકોના શ્વાસ ંધાવા લાગ્યા હતા અને ઘડીભર તો લોકોને ભોપાલ ગેસ દુર્ઘટના યાદ આવી ગઈ હતી. જો કે તાબડતોબ ફાયરના જવાનોએ દોડી જઇ સ્થિતિ કાબુમાં લેવા કોશિશ શ કરી દીધી છે. નૈનીતાલમાં અમુક લોકોને વધુ અસર થતા સિવિલમાં ખસેડાયા છે.
થાણે જિલ્લાના અંબરનાથમાં બનેલી કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજ થવાના કારણે આખા શહેરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો . બીજી તરફ, ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં કલોરિન ગેસ સિલિન્ડર લીક થવાને કારણે ઘણા લોકોની તબિયત લથડી અને તેમને નૈનીતાલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થાણે જિલ્લાના અંબરનાથમાં બનેલી કેમિકલ કંપનીમાંથી ગેસ લીક થયા બાદ લોકોને આંખોમાં બળતરા અને ગળામાં ખરાશની સમસ્યા સામે આવી હતી . દરમિયાન અધિકારીઓએ લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધુમાડાના ગોટેગોટાના કારણે સમગ્ર શહેરની વિઝિબિલિટી ઘટી ગઈ હતી.અંબરનાથ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે તેમને મોડી રાત્રે ગેસ લીક થવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ રાહત કાર્ય માટે સ્થળ પર પહોંચી હતી
નૈનીતાલમાં કલોરિન ગેસ લીક
ઉત્તરાખંડના નૈનીતાલથી ગેસ લીકેજનો એક મામલો સામે આવ્યો છે, જેના કારણે ઘણા લોકોની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડા. મળતી માહિતી મુજબ, નૈનીતાલના સુખતલ જલ સંસ્થાન પપં હાઉસમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાંથી કલોરિન ગેસ લીક થવાથી વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. લીકેજ એટલો ભયંકર હતો કે થોડીવારમાં જ નજીકમાં રહેતા લોકોની તબિયત લથડવા લાગી હતી. લોકોને ઉલ્ટી થવા લાગી, ચક્કર આવવા લાગ્યા અને બેહોશ થવા લાગ્યા. અધિકારીઓને માહિતી મળતા જ વહીવટીતત્રં એકશનમાં આવી ગયું હતું. પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબુમાં લેવા એકશન મોડમાં આવી ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech