અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 70 વર્ષની ઉંમરે રાજીનામું આપશે. ગૌતમ અદાણી હાલમાં 62 વર્ષના છે. અદાણી ગ્રૂપ્ના ચેરમેને જણાવ્યું હતું કે તેઓ 2030ના દાયકાની શરૂઆતમાં ગ્રુપ્નું મેનેજમેન્ટ તેમના પુત્રો અને ભત્રીજાઓને સોંપવાની તૈયારી છે. ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં આ પ્લાનનો ખુલાસો કર્યો હતો. જ્યારે ગૌતમ અદાણી નિવૃત્ત થશે, ત્યારે તેમના ચાર વારસદારો - પુત્રો કરણ અને જીત અને ભત્રીજા પ્રણવ અને સાગર - વંશજોના જણાવ્યા મુજબ, કુટુંબ ટ્રસ્ટના સમાન લાભાર્થી બનશે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે કોન્ફીડેન્સલ ગ્રુપ્ની કંપ્નીઓમાં હિસ્સો વારસદારોને અપાશે. અદાણી ગ્રૂપ્ની વેબસાઈટ અનુસાર, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી અદાણી પોટ્ર્સના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે તેમના નાના પુત્ર જીત અદાણી અદાણી એરપોટ્ર્સના ડિરેક્ટર છે. વેબસાઈટ અનુસાર, પ્રણવ અદાણી અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર છે અને સાગર અદાણી અદાણી ગ્રીન એનજીનર્િ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
કરણ અને પ્રણવને ચેરમેન બનવા માટે સૌથી મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, વ્યવસાયની ટકાઉપણું માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં આ વિકલ્પ બીજી પેઢી પર છોડી દીધો છે કારણ કે પરિવર્તન ક્રમિક અને ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ.
અદાણીના બાળકોએ જણાવ્યું હતું કે જ્યારે ગૌતમ અદાણી તેમનું પદ છોડશે ત્યારે સમગ્ર પરિવાર કટોકટી કે કોઈ મોટી વ્યૂહાત્મક પરિસ્થિતિમાં સાથે મળીને નિર્ણય લેવાનું ચાલુ રાખશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રુપ્ની ફ્લેગશિપ કંપ્ની અદાણી એન્ટરપ્રાઇઝે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બમણા કરતાં વધુ નફો નોંધાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech