વૃક્ષોને પાણી આપવુ એ પણ ઇશ્ર્વરની એક પ્રકારની ભક્તિ

  • May 29, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના એરપોર્ટ નજીક રાધાવલ્લભ નિર્મોહી અખાડા આશ્રમમાં ૫૦૦ જેટલા વૃક્ષો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવામાં આવી રહ્યુ છે.
અહીંના ન્યૂ એરપોર્ટ રોડ પાસેની કોસ્ટ ગાર્ડ કર્મચારી વસાહત પાસે હાઇવે રોડ  ખાતે  છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત  શ્રી રાધા વલ્લભ નિર્મોહી અખાડાના મહંત ૧૦૦૮ ના બ્રહ્મલિન શ્રી શંકરદાસ નાગા બાવા આશ્રમ આવેલો છે.  જેમાં ૫૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર અને સંવર્ધન થકી ઘેઘુરવૃક્ષો આજે  પક્ષીસૃષ્ટિના  કલરવ દિલને સાતા આપે છે.આ આશ્રમ  પર્યાવરણ પ્રેમી માટે પ્રેરક ઉદાહરણ ‚પ બન્યો છે.  
આ આશ્રમમાં ઘણા રજાઓમાં લોકો પોતાનું ટિફિન લઈ ભોજન કરવા અને મોજ સાથે નીરવ શાંતિમાં આખો દિવસ ગાળે છે.  પોરબંદરની સરકારી પોલીટેક્નિકલ કોલેજના   પર્યાવરણ  પ્રેમી પ્રોફેસર નયનભાઈ ત્રિવેદી એ બે દાયકાઓ પહેલા કોલેજના પરિસરમાં ૫૦૦ જેટલાં વૃક્ષોનું  વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના સહકાર થી વાવેતર કર્યું હતું. જે ઘેઘુર  વૃક્ષો  આજે પોલી ટેક્નિક કોલેજ કંપાઉન્ડની શોભા વધારી રહ્યા છે.તેવો એ બે દાયકા અગાઉ  હાઇવે રોડ ધરમપુર પર સાયકલ પર નીકળી  ચોમાસા પહેલા પોતાના ખિસ્સામાં લીમડાની લિંબોળી  ભરીને સુરક્ષિત  ગાંડા બાવળ ની વચ્ચે જમીનમાં લિંબોળી  માટીમાં રોપી દે  છે અને  પછી લીમડો કરંજ ઉગી નીકળે આજે પણ મોટા વૃક્ષો  લહેરાય છે તેઓ નિવૃત્તિ પછી પણ આ આશ્રમમાં આવે છે અને બાજુની તળાવડીમાં માછલીઓ ને મમરા ખવડાવે છે અને કહે છે કે આશ્રમમાં  આ ઘેઘુર વડલો મેં  રોપ્યો છે  તેમના ચહેરા પરનો ભાવ  કરોડપતિને ન હોય તેવો સંતોષ નો ભાવ જોઈ  અનેરો આનંદ આવે છે અને બાપુના શબ્દો ‘એક બાલદી પાણી પાવ એ ઈશ્ર્વરની ભક્તિ છે’ તે  ચરિતાર્થ આ નિવૃત પ્રોફેસર નયન ભાઈ ત્રિવેદી એ કરી છે તેમની પર્યાવરણની ભક્તિ ને સલામ છે. 
 બ્રહ્મલિન થયેલા પૂજ્ય શકરદાસ બાપુનો આશ્રમનું  જતન  તેમના શિષ્ય   ગોપાલાદાસબાપુ કરી  રહ્યા છે. ગુ‚ના સેવકગણ  રામભાઈ કોડિયાતર, કારા ભાઈ બાપોદરા, રાજુભાઈ શર્મા, રમેશભાઈ ઓડેદરા, નિવૃત કોન્સ્ટેબલ  ગીરજાશંકર જોશી,  જીવા ભગત ગુરગટિયા, સહિતના અનેક સેવકો આ આશ્રમનું જતન કરી રહ્યા છે.  
  આ  આશ્રમમાં ઘે ઘુર વૃક્ષો વચ્ચે ગૌશાળા, શ્રી બાવીસી માતાજી મંદિર, શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, શ્રી ગાય માતાની  સમાધિ આવેલા છે.  પૂજ્ય બાપુ  આ મંદિરમાં  પ્રતિ વર્ષ હનુમાન જ્યંતી અને પાંચમી જુન પર્યાવરણની ભવ્ય  ઉજવણી કરતા હતા જેમાં બાળકો ને બટુકભોજન કરાવતા.   આજે આ પરંપરા તેમના શિષ્યો એ ચાલુ રાખી છે તેના શિષ્યો ને બાપુ કહેતા કે, ‘એક બાલદી  વૃક્ષને  પાણી પાવ એ ઈશ્ર્વરની ભક્તિ છે.’ આજે તેના શિષ્યો  આશ્રમ ની બાજુની તળાવડીમાં થી બાલદી ભરી ને વૃક્ષોને પાણી પાવાનું અને તલાવડીના ખીલેલા કમલ ફૂલ મંદિરમાં ચડાવે છે.  તેના શિષ્યો દ્વારા  શ્રી શંકરદાસ બાપુની  સ્મૃતિ જાળવી રાખવા તેમની પ્રતિમા મુકવાનું પણ આયોજન કરી રહ્યા છે   વિશેષ જાણકારી માટે  ગુ‚ના સેવક રામભાઈ પરબત ભાઈ કોડિયાતર મોબાઈલ નંબર  ૯૮૭૯૯-૫૫૨૦૩,. પર સંપર્ક સાધી શકાશે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News