રાજસ્થાનમાં ધોરણ ૯થી ૧૨ના નવા ચાર પાઠયપુસ્તકોની તમામ નકલો પરત કરવાનો નિર્દેશ: પેપર અને પ્રિન્ટિંગની ગુણવત્તા ચકાસવા માટે જીએસએમ તપાસ કરાશે
૨૦૦૨ના ગોધરા હત્યાકાંડ અને તેના પરિણામો પર આધારિત પુસ્તક પાઠપુસ્તકોમાં સમાવિષ્ટ્ર થયા બાદ ભાજપ શાસિત રાજસ્થાનમાં પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાન સ્કૂલ એયુકેશન કાઉન્સિલ (આરએસઈસી) એ શાળાઓને ધોરણ ૯ થી ૧૨ના નવા ચાર પાઠયપુસ્તકોની તમામ નકલો પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ધોરણ ૧૧ અને ૧૨ માટે જારી કરાયેલ ચારેય પુસ્તકોની નકલો શાળાના આચાર્યેા દ્રારા તેમના સંબંધિત બ્લોક–લેવલ આફિસમાં એકત્રિત કરીને સબમિટ કરવાની રહેશે.
ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે પેપર અને પ્રિન્ટિંગની ગુણવત્તા ચકાસવા માટે જીએસએમ તપાસ હાથ ધરવામાં આવશે, જે કથિત તકનીકી ખામીઓને આભારી છે. એક ખાનગી સંસ્થાએ ૨૦૨૩–૨૪માં લાઈબ્રેરી ગ્રાન્ટ દ્રારા ચારેય પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે દાવો કર્યેા હતો કે ગોધરા ટ્રેન આગમાં આતંકવાદી કાવતં હતું પરંતુ આ કયારેય સાબિત થયું ન હતું. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ખાસ અદાલતો પણ આ નિષ્કર્ષ પર આવ્યા હતા કે આ ઘટનામાં કોઈ સંડોવણી નથી. આ ઘટનામાં કોઈ આતંકવાદી કાવતં નહોતું અને ત્રણ શકમંદોએ નવ વર્ષ જેલમાં વિતાવ્યા હતા જેમણે કોઈ ગુનો કર્યેા નથી.
પ્રકરણમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાર સેવકોના હત્યાકાંડ પછી, સિવિલ ડ્રેસમાં પોલીસ, તેમના ચહેરા ઢાંકીને ઝૂંપડપટ્ટીમાં ગઈ અને પરિવારોને કોઈ ખુલાસો આપ્યા વિના ૧૪ યુવાનોની ધરપકડ કરી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું કે, રાજસ્થાનમાં શિક્ષણના નામે નફરત ફેલાવવા, ઝેર ફેલાવવા અને નફરતની ભાષા શીખવવા માટે કોણ જવાબદાર છે? જનતાની મહેનતના પૈસાનો ઉપયોગ બાળકોમાં નફરત ફેલાવવા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે નૈતિક શિક્ષણને બદલે અનૈતિકતાની હદ વટાવી રહી છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે સીએમ ભજનલાલ શર્મા બાળકોને વિતરિત કરવામાં આવી રહેલી સામગ્રીની તપાસ કરે તેવી અપેક્ષા છે અને દોષિતો સામે પગલાં લેવા જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech