ગોદરેજ પરિવાર સત્તાવાર રીતે વિભાજિત થઈ ગયો છે. દેશમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર અદિ ગોદરેજ અને તેમના ભાઈને વિભાજન કરાર હેઠળ શેરબજારમાં લિસ્ટેડ કંપ્નીઓ મળશે. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપ્નીઓમાં આવશે.
127 વર્ષ જૂનો ગોદરેજ પરિવાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર કયર્િ પછી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની પાંચ કંપ્નીઓ લિસ્ટેડ છે. જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપ્ની ગોદરેજ એન્ડ બોયસની માલિકીનો હક મળશે. આ બંનેને ગોદરેજ એન્ડ બોયસ સાથે સંકળાયેલી કંપ્નીઓ સાથે મુંબઈમાં જમીન અને મહત્વની મિલકતનો મોટો પ્લોટ મળશે. નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપ્નો બિઝનેસ સાબુ અને હોમ એપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે.
ગોદરેજ સમૂહ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જૂથને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું છે.
જેમાં એક હિસ્સો 82 વર્ષના અદિ ગોદરેજ અને તેમના 73 વર્ષના ભાઈ નાદિરના ભાગે મળશે. જ્યારે બીજો હિસ્સો તેમના પિતરાઈ ભાઈ-બહેન 75 વર્ષીય જમશેદ ગોદરેજ અને 74 વર્ષીય સ્મિતા ગોદરેજ કૃષ્ણાને મળશે. ગોદરેજ પરિવારે વિભાજન પ્રક્રિયાને ગોદરેજ કંપ્નીઓમાં શેરધારકોના માલિકી હકોના પુનર્ગઠન તરીકે જણાવ્યું છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. વિભાજન હોવા છતાં, બંને પક્ષો તેમના સમાન વારસાને વધારવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech