ગુજરાત સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં રૂ. 700નો વધારો કર્યો છે. હવે આ કર્મચારીઓને પ્રતિ માસ રૂ.1000નું તબીબી ભથ્થું આપવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી રાજ્યની કોલેજોના 3703 શૈક્ષણિક અને 1205 બિનશૈક્ષણિક મળીને કુલ 4908 કર્મચારીઓને લાભ થશે. આ વધારો 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.
આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત કોલેજોના કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેઓ લાંબા સમયથી મેડિકલ ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. સરકારે તેમની માંગણી સ્વીકારીને તેમને રાહત આપી છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય કર્મચારીઓના કલ્યાણ અને તેમને આરોગ્ય સંબંધિત ખર્ચમાં મદદરૂપ થવાના હેતુથી લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે, કર્મચારીઓને યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને આ વધારો તેમને તે દિશામાં મદદ કરશે.
ઋષિકેશ પટેલે X પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યની બિન-અનુદાનિત કોલેજોમાં કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યની બિન-સરકારી અનુદાનિત કોલેજોના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ₹700નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech