નાણામંત્રીએ આ બજેટમાં કિસાનો અને ખેતીને લઈને ખાસ જાહેરાતો કરી છે, જે માટે સરકારનો સીધો હેતુ એવો છે કે ખેતીને પ્રાધાન્ય મળે અને પ્રાકૃતિક ખેતી પર ફોકસ કરી શકાય.જેના લીધે માટીની ગુણવત્તા પણ જળવાય રહે અને જંતુનાશકો પરની નિર્ભરતા ઓછી કરી શકાય .જેથી પાકની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર ન પડે.સરકાર 32 પ્રકારના ખેત ઉત્પાદનોમાં 109 પ્રકારની નવી જાત વિકસાવવાની દિશામાં તૈયારી કરી રહી છે.જે મોસમ પર આધારિત નહી હોય. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર પર ફોકસ વધારવાના સરકારના હેતુ પર ભાર મુકતા જણાવ્યું હતું કે સરકારનું ધ્યેય પ્રાકૃતિક ફાર્મિંગને વધારવા પર ભાર મુકવાનું છે. ખેતીમાં રીસર્ચ પર ભાર મૂકીને તેમાં શું સુધારો કરી શકાય તે અંગે વિચારવામાં આવશે. આ બધું નિષ્ણાતોની રાહબરીમાં થશે. આ સાથે જ આવનારા એક વર્ષમાં એક કરોડ કિસાનોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.સરકાર આ તકે દાળ અને તેલના ઉત્પાદન પર પણ ભાર મુકવા માંગે છે.જે પછી ઉત્પાદન,સ્ટોરેજ અને માર્કેટિંગ પર ધ્યાન આપી શકાય અને તેમાં વધારો કરવાનો હેતુ સાધી શકાય.સરકાર ખાસ કરીને મગફળી, સુરજમુખી અને સોયાબીન જેવા પાકના ઉત્પાદનને વધારીને આત્મનિર્ભર બનવા પર વિચારી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ પર મહાપાલિકા દ્વારા સોમવારે ૧૦ કિલોમીટરની સાયક્લોથોન
May 07, 2025 03:03 PMયાર્ડની જે.કે.ટ્રેડિંગ પેઢીએ રૂ.૧૭.૧૯ કરોડનું ફુલેકુ ફેરવ્યું
May 07, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech