નાણા મંત્રાલય હેઠળ કાર્યરત ડીઆઈપીએએમ (રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ) જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં સરકારના હિસ્સાનું સંચાલન કરે છે. પસંદગીના મર્ચન્ટ બેન્કરો અને કાનૂની કંપનીઓ પસંદગીના જાહેર ક્ષેત્રની બેંકો અને લિસ્ટેડ જાહેર નાણાકીય સંસ્થાઓમાં હિસ્સો વેચવા માટેના વ્યવહારો અંગે સરકારને સલાહ આપશે.
મર્ચન્ટ બેન્કર્સ મૂડી બજાર વ્યવહારો સંભાળવાની તેમની ક્ષમતાના આધારે બે શ્રેણીઓ હેઠળ ડીઆઈપીએએમ સાથે લિસ્ટિંગ માટે અરજી કરી શકે છે. પહેલી શ્રેણી 'એ પ્લસ' 2,500 કરોડ કે તેથી વધુના વ્યવહારો માટે છે. તેવી જ રીતે 2,500 કરોડ રૂપિયાથી ઓછા વ્યવહારો માટે 'A' શ્રેણી હશે. મર્ચન્ટ બેન્કરો માટે બોલીઓ આમંત્રિત કરીને સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં તેનો હિસ્સો ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી છે.
હાલમાં, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઘણી જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ હજુ સુધી શેરબજાર નિયમનકાર સેબીના 25 ટકા લઘુત્તમ શેરહોલ્ડિંગ ધોરણોનું પાલન નથી કર્યું. સરકારે આવી સંસ્થાઓ માટે સેબીના નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ 1 ઓગસ્ટ, 2026 નક્કી કરી છે. હાલમાં, 5 જાહેર ક્ષેત્રની બેંકોએ લઘુત્તમ શેરહોલ્ડિંગ ધોરણો પૂર્ણ કરવા પડશે. જેમાં સરકાર પંજાબ એન્ડ સિંઘ બેંકમાં 98.3 ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 96.4 ટકા, યુકો બેંકમાં 95.4 ટકા, સેન્ટ્રલ બેંકમાં 93.1 ટકા અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં 86.5 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, તેનો આઈઆરએફસીમાં 86.36 ટકા અને ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સમાં 85.44 ટકા હિસ્સો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech