જમીન સંપાદનના કિસ્સામાં વળતર સંબંધિત કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે વિવિધ કેસોમાં રાજય સરકાર તરફ્થી સરકારી વકીલો દ્વારા ફાઇલ કરવામાં આવતાં સોગંદનામાંને લઇ સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે, રાજય સરકારના અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવતાં સોગંદનામાં ઢંગધડા વગરના હોય છે.પેરાવાઇઝ જવાબો કે વિગતો હોતી નથી.
ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે આ સમગ્ર બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇ હાઇકોર્ટની જીપી ઓફ્સિને ઉદ્દેશીને હુકમ કર્યો હતો કે, તમામ સરકારી વકીલો દ્વારા પિટિશનમાં ઉઠાવાયેલા મુદ્દા અનુસંધાનમાં પેરાવાઇઝ અને યોગ્ય રીતે મુસદ્દા સાથેનો જવાબ રજૂ કરવાનો રહેશે. હાઇકોર્ટે જીપી ઓફ્સિની કામ કરવાની પધ્ધતિને લઇ વ્યકિતગત રીતે સમગ્ર બાબત જોવા અને આ મામલો ધ્યાને લેવા રાજયના એડવોકેટ જનરલને પણ હુકમ કર્યો હતો.
કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, વિવિધ કેસોની સુનાવણી દરમ્યાન એ હકીકત ધ્યાને આવી છે કે, રિટ અરજીઓના જવાબમાં રાજય સરકારના અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવતા સોગંદનામામાં પેરાવાઇઝ કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને લઇ તે મુજબ યોગ્ય રીતના જવાબ જ હોતા નથી. હાઇકોર્ટે માત્ર તથ્યો જણાવવા નહી પરંતુ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને પેરાવાઇઝ જવાબ-સોગંદનામાં ફાઇલ કરવા તમામ સરકારી વકીલોને નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, અગાઉ પણ આ મુદ્દો અદાલત દ્વારા મુખ્ય સરકારી વકીલના ધ્યાન પર લાવવામાં આવ્યો છે પરંતુ એવું લાગે છે કે, તેમને આ બાબતે કોઇ ચિંતા નથી., કારણ કે, પરિસ્થિતિમાં કોઇ સુધારો થયો જણાતો નથી. રાજય સરકાર તરફ્થી ફાઇલ થતાં સોગંદનામાના મુસદ્દાની પદ્ધતિને અદાલત બારીકાઇથી ધ્યાનમાં લેશે. હાઇકોર્ટે સરકારપક્ષને એવી પણ ચેતવણી આપી હતી કે, જો હવેથી આ પ્રકારે સોંગદનામું કે એફ્ડિેવીટ ફાઇલ થયા નહી હોય તો તેની ગેરહાજરીમાં રિટ પિટિશનના તથ્યોને સાચા માનીને તેનો સ્વીકાર કરવામાં આવશે. હાઇકોર્ટે આ હુકમ તાત્કાલિક અસરથી મુખ્ય સરકારી વકીલના ધ્યાન પર લાવવા હુકમ કર્યો હતો. સાથે સાથે રાજયના એડવોકેટ જનરલને આ સમગ્ર મામલો ધ્યાને લેવા અને જીપી ઓફ્સિમાં કામ કરવાની પધ્ધતિને લઇ સમગ્ર બાબત જોવા તેમને પણ હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech