ઇટ્રા દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે હરિત યોગ

  • June 12, 2025 10:47 AM 

હરિત યોગ થકી પ્રાકૃતિક સ્થળે યોગાભ્યાસ સંકલ્પના ભાગરૂપે આયોજન

આયુષ મંત્રાલય ભારત સરકારના જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન(ITRA)જામનગર દ્વારા પ્રખ્યાત રામસર સાઇટ એવા ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે તા. ૧૨ જૂનના રોજ સવારે ૭:૩૦થી ૮:૪૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સત્કારવા તેમજ પ્રકૃતિ વચ્ચે યોગ થકી સ્વાસ્થ્ય સક્ષમ બનાવવાના હેતુસર વિવિધ યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું!


આ નિદર્શનમાં ઇટ્રાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી, મેરિન નેશનલ પાર્કના ડેપ્યુટી કંઝરવેટરી ઓફ ફોરેસ્ટ પ્રસાદ રવિ રાધા કૃષ્ણન(IFS), રેન્જ ફોરેસ્ટ ઓફિસ દક્ષાબેન વઘાસિયા સહિત ઇટ્રા શૈક્ષણિક-બીન શૈક્ષણિક સ્ટાફ, ડીન તેમજ વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત ૨૦૦ની સંખ્યામાં સહભાગીઓએ ભાગ લઇ અભ્યારણનું વાતાવરણ યોગમય બનાવ્યું હતું.
​​​​​​​

વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને દસ વર્ષ થનાર છે ત્યારે સમગ્ર દુનિયામાં અભુતપૂર્વ ઉત્સાહ અને યોગ પ્રત્યે લોકોની ઉત્સુકતા અને જાગૃતિ વધી રહ્યાં છે. આ તકે વિશ્વ વિખ્યાત એવાં ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે થયેલું યોગ નિદર્શન લોકોને વધુ યોગમય બનવા પ્રેરિત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application