સમગ્ર દેશમાં ગુજરાત જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં 99% સાથે મોખરે રહ્યું છે તો વર્ષ 2018 19 માં 68% લોકોએ રિટર્ન ફાઇલ કર્યું હતું, એમાં જંગી ઉછાળો આવતા ચાલુ વર્ષે ગુજરાતમાં 99% લોકોએ જીએસટી રિટર્ન ફાઇલ કર્યું હોવાનું સામે આવ્યું છે.
વન નેસન વન ટેક્સ સાથે સાત વર્ષ પૂર્વે સમગ્ર દેશમાં જ વ્યક્તિની અમલવારી શરૂ થઈ હતી જેમાં અનેક વિસંગતતાઓ આજની તારીખે પણ જોવા મળી છે. એની હાલાકી કરદાતાઓને પણ ભોગવી પડી રહે છે તેમ છતાં રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે.
જ્યારે જીએસટી નો કાયદો આવ્યો ત્યારે સક્રિય કર દાતાઓની સંખ્યા પાંચ લાખ હતી, બીજા વર્ષે આઠ લાખે પહોંચી હતી ત્યારબાદ દર વર્ષે એક સરખી ગતિથી કરદાતાઓની સંખ્યામાં વધારો થયો હતો પરંતુ આ વખતે એટલે કે છેલ્લા સાત વર્ષોમાં કરદાતાઓની સંખ્યામાં ગુજરાતમાં 135% નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સક્રિય કરદાતાઓની સંખ્યા 11,97 લાખએ પહોંચી છે.જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત હંમેશા રાષ્ટ્રીય કક્ષાએ મોખરે રહ્યું છે વર્ષ 2018 19 માં ગુજરાતમાંથી 68% લોકોએ રિટર્ન ફાઇલ કર્યો હતો જ્યારે તેમાં આ વર્ષે આ સંખ્યામાં વધારો થયો છે અને 99% લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે જ્યારે દેશમાં ચાલુ વર્ષે 97 ટકા લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે.
જીએસટીની આવકમાં પણ ગુજરાત નું નોંધપાત્ર યોગદાન રહ્યું છે માત્ર કોરોના સમયે 11% જેટલી જીએસટીની આવક ઘટી હતી ત્યારે કોરોના કાળ પૂરો થતાની સાથે જ એટલે કે 2021-22 માં 48% ના વધારા સાથે જીએસટીના કરની આવક 45 હજાર કરોડની નોંધાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે 2023 24 માં 64,576 કરોડની આવક રાજ્ય સરકારને તિજોરીમાં જીએસટીની આવક પેટે જમા થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech