શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા સિંધી વૃદ્ધાએ ગઈકાલે ત્રીજનું વ્રત રાખ્યું હોય ચાંદ જોવા માટે પતિ સાથે એકટિવામાં રામનાથપરા જતા હતા. દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધાના ગળામાંથી એક લાખની કિંમતનો સોનાનો ચેઇન આંચકી લીધો હતો. વૃદ્ધાના પતિએ આ શખસનો પીછો કર્યેા હતો પરંતુ તે હાથ લાગ્યો ન હતો. બાદમાં આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગરમાં જાડેજા ચોક પાસે એસ.બી. સ્કૂલ સામે ઓમ મકાનમાં રહેતા રત્નાબેન હરેશભાઈ મૂલચંદાણી(ઉ.વ ૬૬) નામના સિંધી વૃદ્ધાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા સિંધી સમાજનો તહેવાર ત્રીજ હોય જેમા ચાંદ જોઈ તેની પૂજા કરી વ્રત પૂં કરવામાં આવે છે બાદમાં મહિલાઓ જમે છે. ગઈકાલે તેમણે આ વ્રત રાખ્યું હોય રાત્રિના પોણા અગિયાર વાગ્યા હોવા છતાં ઘરેથી ચાંદના દર્શન ન થતાં તે તેમના પતિ હરેશભાઈ સાથે એકટીવામાં બેસી રામનાથપરા સ્મશાન પાસે પૂલ તરફ આવેલા ખુલ્લા પ્લોટમાં ચાંદ દેખાતો હોય ત્યાં ચાંદના દર્શન કરવા માટે જતા હતા.
દરમિયાન ૧૧:૦૦ વાગ્યે આસપાસ અહીં કપિલા હનુમાન વાળા રોડ પર રામનાથપરા સ્મશાન નજીક પહોંચતા વૃદ્ધાને ગળામાં કંઈક લાગ્યું હોય તેવું જણાવતા તુરતં ગળા પર હાથ ફેરવતા તેમણે પહેરેલો સોનાનો ચેઇન ન હોવાનું માલુમ પડું હતું. આ સમયે બાજુમાંથી પસાર થયેલ અજાણ્યા બાઈક ચાલકે આ ચેઇન આંચકી લીધો હોવાનું માલુમ પડું હતું જેથી તમણે તુરતં પતિને આ બાબતે જાણ કરતા અને તેમને ચક્કર આવવા લાગતા તેમના પતિ તેમને અહીં ઉતારી એકિટવા લઇ આ અજાણ્યા બાઈક ચાલકનો પીછો કર્યેા હતો.પરંતુ તે નાસી ગયો હતો અંધા હોવાથી તે કે તેમના પતિ આ બાઈકનો નંબર જોઈ શકયા ન હતા બાદમાં તેમણે પુત્રને ફોન કરી આ બાબતને જાણ કરી હતી જેથી તે પણ અહીં આવી ગયો હતો. ત્યારબાદ ૧૦૦ નંબર પર કોલ કરતા પીસીઆર વાન આવી હતી અને તેમને પોતાની સાથે બનેલી આ ઘટના અંગે જણાવ્યું હતું.
બાદમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન જઇ અજાણ્યા શખસે તેમના ગળામાંથી પિયા એક લાખની કિંમતનો સોનાનો ચેઇન આંચકી લીધો હોવા અંગેની આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફટેજના આધારે સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech