ઓણ સાલ સમગ્ર ઉત્તર ભારતમાં પહાડોમાં હિમવર્ષા મોડી શરૂ થઈ છે જમ્મુ–કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી સુધી ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેનાથી પર્યટકોને મોજ પડી છે.ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જાણે કુદરતે જ ભોલેનાથને સફેદ શૃંગાર કર્યેા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.કેદારનાથ મંદિર પર હિમવર્ષાના કારણે સફેદ ચાદરની પરત જામી છે. ઉત્તરાખંડથી લઈને હિમાચલ અને કાશ્મીર સુધી દરેક જગ્યાએ કુદરત મહેરબાની કરી રહી છે. હિમવર્ષા શ થતાં જ પ્રવાસીઓ પહાડી વિસ્તારો તરફ વળ્યા હતા.બદ્રીનાથ ધામમાં પણ ભારે હિમવર્ષાને કારણે મંદિર બરફથી ઘેરાઈ ગયુ છે. ત્યારે બરફવર્ષા વચ્ચે મંદિરને જોતા જાણે પૃથ્વી પર સ્વર્ગ જોઈ રહ્યા હોવાની અનુભૂતિ થઈ રહી છે. ફેબ્રુઆરીમાં બરફવર્ષા જોવા માટે આ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવે છે.જમ્મુ–કાશ્મીરમાં પહેલગામ, કોકરનાગ અને ગુલમરાગ તેમજ કાશ્મીર ખીણના ઐંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશનું કુફરી હિમવર્ષા જોવા માટે એક મહાન પર્યટન સ્થળ છે. જાન્યુઆરીમાં સૂકી ઠંડી બાદ ફેબ્રુઆરીમાં અહીં હિમવર્ષા શ થઈ ગઈ છે. શિમલા નજીક કુફરી, નારકંડા અને ખારાપથ્થર જેવા પહાડી વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMયાજ્ઞવલ્કય વિદ્યા મંદિરમાં ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો
May 03, 2025 12:57 PMસુભાષ નગર તરફ જતા રસ્તા ના સમારકામની કાર્યવાહી કરવા ઉઠી માંગ
May 03, 2025 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech