ગુજરાત રાજ્યના ડીજીપીએ આજે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે જેમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહનો લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપવાનો અને દુર્ઘટનાઓમાં ઘટાડો કરવાનો છે.
આ નિર્ણયનો અમલ કરવા માટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીઓએ તેમના કેમ્પસમાં હેલ્મેટ ફરજિયાત કરવા માટે જરૂરી પગલાં ભરવાના રહેશે. જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહન ચલાવતા પકડાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજોમાં અંદાજીત ૧૬.૪ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે દ્વિ-ચક્રી વાહનોનો ઉપયોગ કરે છે. રાજયમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ ૭,૮૫૪ લોકો મૃત્યુ પામેલ હતા, જેમાં ૨,૭૬૭ (૩૫%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી ૨,૦૮૨ (૨૬.૫૦%) વ્યકિત ૨૬ વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે.
માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવુ એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે suo-motu રીટ પીટીશન દાખલ કરેલ છે. જે અંતર્ગત નામદાર હાઇકોર્ટ દ્વારા દ્વિ-ચક્રી વાહન ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યકિતએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવેલ છે. આ ઉપરાંત રાજયની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિ-ચક્રી વાહનનો ઉપયોગ કરતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech