ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, ’હસન નસરાલ્લાહ હવે દુનિયાને ડરાવી શકશે નહીં. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને અન્ય કમાન્ડરો સહિત દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્ચીને મારી નાખ્યા છે. નસરાલ્લાહ અને તેની પુત્રી ઝૈનબ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના મુખ્ય મથક પર ગઈકાલે ઇઝરાયેલના હવાઈ હુમલામાં માયર્િ ગયા હોવાનું માનવામાં આવે છે.
ડેનિયલ હગારીએ કહ્યું કે, ’ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ બાતમી બાદ, અમારા વાયુસેનાના ફાઈટર પ્લેન્સે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર ટાર્ગેટ એટેક કર્યો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે હિઝબુલ્લાહનું વરિષ્ઠ નેતૃત્વ તેના હેડક્વાર્ટરમાં ઇઝરાયેલના નાગરિકો સામે આતંકવાદી ગતિવિધિઓ ચલાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હતું.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન હિઝબુલ્લાના વડા તરીકે, તેઓ અસંખ્ય ઇઝરાયેલ નાગરિકો અને સૈનિકોની હત્યા અને હજારો આતંકવાદી કૃત્યોના આયોજન અને અમલ માટે જવાબદાર હતા. આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહ વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર હતો જેમાં વિવિધ દેશોમાં નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી.
ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર, હસન નસરાલ્લાહના નેતૃત્વમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે મળીને 8 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું. આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરથી, હિઝબુલ્લાએ ઇઝરાયેલી નાગરિકો પર વારંવાર અને બિનઉશ્કેરણીજનક હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે લેબનોન અને પ્રદેશમાં વ્યાપક તણાવ થયો છે. ઇઝરાયેલી સૈન્ય ઇઝરાયેલ અને તેના લોકો વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપ્નાર અથવા તેમાં ભાગ લેનાર કોઈપણ સામે તેની કાર્યવાહી ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech