વકફ બોર્ડ પર પ્રતિબંધ લાદવા આંધ્રપ્રદેશ જેવા નિર્ણય ગુજરાત સરકાર ક્યારે લેશે...? વકફના નામે થતા ગેરકાયદેસર દબાણો અને કબજાઓથી ગુજરાતને મુક્ત કરાવવા હિન્દુ સેનાની પહેલ...
ગુજરાતમાં વકફ બોર્ડ દ્વારા ઘણા સ્થાન ઉપર ધર્મના નામે ગેરકાયદેસર અવેધ મજાર, દરગાહ તેમજ પાણીના પરબો તથા સેવાના નામ પર લીલા ઝંડાઓ ફરકાવી ગેરકાયદેસર દબાણ ચોક્કસ કોમના લોકો દ્વારા થઈ રહ્યું છે. વકફ બોર્ડના નામે પણ ઘણા દબાણો કરી ભારત વિરોધીઓ સક્રિય થઈ ગયા છે તેમ જ રાષ્ટ્ર વિરોધી જેહાદી માનસિકતા ધરાવનારાઓએ હિન્દુ વિસ્તારો તેમજ હિન્દુ મંદિરો, શાળા, કોલેજો, હોસ્પિટલો, હાઇવે પર આવેલ પુલો નજીક પણ દબાણો વધારી રહ્યા છે. જેને લીધે ત્યાંથી પસાર થતાં રાહદારીઓની મુશ્કેલીઓ વધી રહી છે.
ખરેખર હિન્દુઓના વિસ્તારમાં રાષ્ટ્ર વિરોધી જેહાદીઓ ધર્મના નામે આવી મજારો કે દરગાહ કે પાણીના પરબો કે અન્ય દબાણો ઊભા કરી રહ્યા છે જે મજારો કે દરગાહો કે મશ્વિદો ભવિષ્યમાં રાષ્ટ્રવિરોધી કામમાં પણ લઈ શકે અને રાષ્ટ્રને નુકસાન પહોંચાડે તે પહેલા ગુજરાતમાં વકફ બોર્ડના નામે ચાલતા ષડયંત્રને તોડી પાડવા ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ઉચ્ચ પદાધિકારીઓને તાકીદ કરવામાં આવે છે.
આ ગંભીર વિષયને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે ગુજરાતમાં વકફ બોર્ડ પર પ્રતિબંધ લાદવા ગુજરાતના મુખ્યમંત્રી નિર્ણય લ્યે તેમજ વકફ બોર્ડના નામે ગુજરાતમાં ચાલતી જમીન જેહાદના ષડયંત્રને તોડી પાડી ગુજરાતમાં વકફ બોર્ડ પર નિયંત્રણ લાદવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech