ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્લાય ના મુખ્ય અગ્ર સચિવ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગ દ્રારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકુમાર ના એકસટેન્શન ના મુદ્દા પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. રાજકુમારની નિવૃત્તિના પગલે સામાન્ય વહીવટ વિભાગ દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ૫૯ વર્ષીય પંકજ જોશી આકટોબર ૨૦૨૫ સુધી એટલે ૧૦ મહિના મુખ્ય સચિવ પદ પર રહેશે.
પંકજ જોશી ૧૯૮૯માં ૨૧ ઓગસ્ટ માં વહીવટી સેવામાં જોડાયા તેમના નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્યને કારણે તેમને રાયના વહીવટમાં આ મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે. વર્તમાન સમયમાં પંકજ જોશી ગુજરાતના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ નું પ્રતિિત પદ ધરાવે છે. આ ઉપરાંત બંદરો અને પરિવહન વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળે છે. ભૂતકાળમાં પંકજ જોશીએ નાણા વિભાગમાં સરકારના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી ચુકયા છે.
યાં તેમણે ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપન અને નીતિ–નિર્માણ પ્રક્રિયાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.ભારતીય વહીવટી સેવામાં એક પ્રતિિત કારકિર્દી ધરાવનાર પંકજ જોશી આવતા ઓકટોબર મા નિવૃત્ત થશે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપનાર પંકજ જોશીનો જન્મ ૧૯ ઓકટોબર ૧૯૬૫ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તેમણે શાળાકીય અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ ઉત્તરાખંડમાં જ કર્યેા. પંકજ જોશીએ ૧૯૮૯માં પ્રતિિત ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ ટેકનોલોજી , દિલ્હીમાંથી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગમાં વિશેષતા સાથે સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech