છેલ્લા ૧૦ વર્ષમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા ૩.૬ કરોડથી ૧૨૦ ટકા વધીને ૭.૯ કરોડ થઈ છે. તેમાંથી . ૫૦ લાખથી વધુની કમાણી કરનારાઓ દ્રારા ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. ૨૦૨૪માં આ સંખ્યા ૧.૮૫ લાખથી વધીને ૯.૩૯ લાખ થઈ ગઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીટી) સાથે જોડાયેલા અધિકારીઓએ ગઈકાલે આ માહિતી આપી હતી. તેમનું કહેવું છે કે કરચોરી વિરોધી અને કાળા નાણાના કડક કાયદાને કારણે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. કરવેરાના દરમાં સુગમતા જાળવી રાખવામાં આવી છે અને માહિતીના આદાન–પ્રદાન દ્રારા વિભાગે કરચોરીના મામલાઓને રોકવા માટે અસરકારક પગલાં લીધા છે. તેનાથી ડાયરેકટ ટેકસ કલેકશનમાં પણ વધારો થયો છે.
બોર્ડના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૪ સુધી ૨.૫ લાખથી ૭ લાખ પિયા સુધીની આવક ધરાવતા લોકોએ ૨૫ હજાર પિયાનો આવકવેરો ભરવો પડતો હતો પરંતુ ૨૦૨૪ના દર અનુસાર હવે ૭ લાખ પિયા સુધીની આવક ધરાવતા લોકોએ ટેકસ ચૂકવવો પડતો નથી. તેવી જ રીતે ૭ લાખથી ૧૦ લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોની સરેરાશ આવકવેરા જવાબદારી ૪૩ હજાર પિયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં ૭ થી ૧૦ લાખની વાર્ષિક આવક સાથે દેશભરમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા ૨.૨ કરોડ હતી, જેમણે ખૂબ જ ન્યૂનતમ આવકવેરો ચૂકવવો પડો હતો.
૫૦ લાખ પિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકો દ્રારા ચૂકવવામાં આવતા ટેકસમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમની આવકવેરાની જવાબદારી ૨૦૨૪માં ૩.૨ ગણી વધીને . ૯.૬૨ લાખ કરોડ થઈ છે, જે ૨૦૧૪માં . ૨.૫૨ લાખ કરોડ હતી. બોર્ડના જણાવ્યા અનુસાર ૭૬ ટકા આવકવેરો વાર્ષિક . ૫૦ લાખથી વધુ કમાતા લોકો પાસેથી આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech