ધોરાજીમાં મોચી બજાર વિસ્તારમાં રહેતા આધેડે ધંધા માટે રૂ.૨ લાખ વ્યાજે લીધા બાદ તેના બદલામાં રૂ.૧૫ લાખ ચૂકવી દીધા હતાં.છતાં વ્યાજખોરે અને તેની પત્નીએ આધેડના ઘરે આવી યુવાનની ગેરહાજરીમાં તેની પત્ની અને મામાને ગાળો આપી હતી.એટલું જ નહીં આધેડની પત્નની ગાળો આપી પ્પડ મારી દઇ ધમકી આપી હતી.આ અંગે પરિણીતાની ફરિયાદ પરી ધોરાજી સિટી પોલીસે દંપતી સામે વ્યાજખોરી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુુજબ,ધોરાજીમાં ધોરીયા હનુમાન મંદિર પાસે મોચી બજાર નજીક ખીજડા શેરીમાં રહેતી અને ઘરકામ કરતી નફિસાબેન ઉર્ફે સુનકીબેન ઇમરાનભાઇ ઉર્ફે અન્યો મજીદભાઇ ગરાણા(ઉ.વ ૪૪) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં રબ્બાનીનગર પાછળ રહેતા સિકંદર ઇબ્રાહીમભાઇ નાલબંધ અને તેની પત્ની શરીફાના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક છ વર્ષની દીકરી છે.તેમના પતિ ઘરબેઠા ભરતકામ કરે છે.પતિ ઇમરાન ઉર્ફે અન્યાએ ચાર પાંચ વર્ષ પુર્વે ધંધાની જરૂરિયાત માટે આરોપી સિકંદર પાસેી રૂ.૨ લાખ ૩૦ ટકા વ્યાજે લીધા હતાં.જેના બદલામાં રૂ.૧૫ લાખ જેટલી રકમ ચૂકવી પણ દીધી હતી.તેમ છતાં સિકંદર અવારનવાર વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરે છે.
દરમિયાન ગત તા.૨૯/૧ ના રોજ રાત્રીના અગીયાર વાગ્યા આસપાસ સિકંદર અને તેની પત્ની શરીફા અહીં પરિણીતાના ઘરે આવ્યા હતાં.બાદમાં સિકંદરે કહ્યું હતું કે અન્યો કયાં ગયો છે જેી પરિણીતાએ કહ્યું હતું કે મારા પતિ બહાર ગયા છે.આ સમયે પરિણીતાના મામાજી સસરા અબુભાઇ નુરમહંમદભાઇ આવી જતા સિકંદર તેને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો.બાદમાં પતિ પત્ની બંને ગાળો દેવા લાગ્યા હતાં સિકંદરે કહ્યું હતું કે,તારો પતિ મારી પાસેી બે લાખ લઇ ગયો છે.તે રૂપિયા મને પાછા આપતો ની જેી ફરિયાદીએ કહ્યું હતું કે,મારા પતિ આવે ત્યારે આવજો આ સાંભળી સિકંદરે ઉશ્કેરાઇ જઇ ફરિયાદીએ ગાલ પર એક પ્પડ મારી દીધી હતી. અને કહેવા લાગ્યો હતો કે,તારો ઘરવારો આવશે તો પતાવી દઇશ.આ દરમિયાન સામે રહેતા ફારૂકમિયા આવી જતા તેને સિકંદર કહેવા લાગ્યો હતો કે,આ અન્યાને મકાન ખાલી કરાવી દેજો,અહીંી કાઢી મુકજો.આ સમયે આરોપી સિકંદરના અન્ય ભાઇ સહિતના આવી જતા તે તેને ઘરે લઇ ગયા હતાં.
બાદમાં પરિણીતાના પતિ ઘરે આવતા તેને આ બનાવ બાબતે જણાવ્યા બાદ પરિણીતાએ ધોરાજી પોલીસ મકમાં સિકંદર અને તેની શરીફા સામે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપી દંપતી સામે આઇપીસીની કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ અને મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech