હરિયાણા એક એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસમાં આત્મવિશ્વાસ એટલો વધુ હતો કે પરિણામો પહેલા કોંગ્રેસમાં ભૂપેન્દ્ર હુડ્ડા અને કુમારી સેલજા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને લડાઈ શરૂ થઈ ગઈ હતી સાથે જ જાતિવાદના નારા પણ. આ એવી વસ્તુઓ છે જે હરિયાણાના દરેક ઘર સુધી પહોંચી અને કોંગ્રેસની હારનું કારણ બની. લોકસભાની ચૂંટણીમાં ખેડૂત આંદોલન, અગ્નિવીર યોજના, કુસ્તીબાજોનું દમન, સંવિધાન જોખમમાં જેવા મુદ્દાઓની અસર જોવા મળી હતી. જેના કારણે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી. થોડા મહિનાઓ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસના રણનીતિકારોએ હળવાશથી લીધી હતી.
કોંગ્રેસના નેતાઓએ માની લીધું હતું કે ભાજપ્ની તત્કાલીન ખટ્ટર સરકાર સામે જનતામાં રોષ છે અને કોંગ્રેસ પ્રચંડ બહુમતીથી ચૂંટણી જીતશે. ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં મોટા નેતાઓએ પણ પ્રચારમાં મંદી દશર્વિી હતી. ભાજપે શૈલજાના અપમાન અને સીએમને લઈને કોંગ્રેસની લડાઈનો મુદ્દો દરેક ગામ સુધી પહોંચાડ્યો. શૈલજાએ પ્રચારમાં ભાગ લીધો ન હતો પરંતુ ભાજપ્ના આ એજન્ડાને આગળ વધારવાનું કામ કર્યું હતું. જેના કારણે કોંગ્રેસને નુકસાન વેઠવું પડ્યું છે.
કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ એવો હતો કે હુડ્ડાનું ઘર કહેવાતી રોહતક શહેરી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જબરદસ્ત ટક્કરમાં ફસાયા. નગરો અને શહેરી વિસ્તારોમાં પંજાબીઓ અને બનિયાઓની સંખ્યા વધુ છે. હુડ્ડાના જાતિવાદના નારાને કારણે, મોટાભાગના શહેરી વિસ્તારોમાં અન્ય જાતિના મતદારો કોંગ્રેસથી દૂર જવા લાગ્યા. કોંગ્રેસના વ્યૂહરચનાકારો ભૂલી ગયા કે ભાજપે પ્રથમ બે વિધાનસભા ચૂંટણીઓ જાટ સામે બિન-જાટ જાતિઓને એક કરીને જીતી હતી. અહીં અન્ય જ્ઞાતિના મતદારો ભાજપ્ની તરફેણમાં એકઠા થયા હતા. આ જ કારણ છે કે રોહતક હોય કે પાણીપત કે સોનીપત, હુડ્ડાનો પ્રભાવ હોવા છતાં કોંગ્રેસને અહીં ભાજપે હાર આપી હતી. સોનીપતમાં પંજાબી ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસને આ બેઠક ગુમાવવી પડી હતી. આ જિલ્લાની 6માંથી 4 બેઠકો કોંગ્રેસના કબજામાં હતી. આ વખતે કોંગ્રેસ માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે. જ્યારે ચાર બેઠકો ભાજપે અને એક અપક્ષે કબજે કરી હતી. હરિયાણાની લગભગ દોઢ ડઝન સીટો પર જીત અને હારનું માર્જીન ઘણું ઓછું રહ્યું છે. આવી બેઠકો પર આઈએનએલડી, જેજેપી, બીએસપી, આઝાદ સમાજવાદી પાર્ટી, આમ આદમ પાર્ટીએ કોંગ્રેસના મતો કાપીને ભાજપ્ને ફાયદો કરાવ્યો છે. કેટલીક બેઠકો પર બળવાખોરોએ પણ ખેલ બગાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech