ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિની સહાય ન મળતા ખેડૂતોમાં રોષ : લાલપુરના ખેડૂતો સાથે રાજ્ય સરકારે અન્યાય કર્યો છે તેવા આક્ષેપ
લાલપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું.જામનગર - લાલપુરમાં ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિમાં કૃષિ સહાયમાં અન્યાય બાબતે આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ખેડૂતોને સાથે રાખી રેલી યોજવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને સહાય ચૂકવવા માંગ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં ખેડૂતોએ રેલી યોજી હતી જેમાં ખેડૂતોએ રી સર્વેની માંગ કરી હતી તેમજ લાલપુર પંથકના ખેડૂતો સાથે રાજ્ય સરકારે અન્યાય કર્યો છે તેવા આક્ષેપો સરકાર સામે લાગ્યા છે.કૃષિ મંત્રીએ કરેલી જાહેરાત પૂરી કરો પૂરી કરો ના નારા લગાવી ખેડૂતોએ રોષ વ્યકત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કરસન બાપુ આ રેલીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ અને પ્રકાશ દોંગાની ઉપસ્થિતિમાં લાલપુર પ્રાંત કચેરી ખાતે જઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલા વરસાદથી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના લીધે જગતના તાતને મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે પાકની નુકસાનીની સામે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતોના પાકને થયેલા નુકસાની સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય કોમ્યુનિકેશનના અભાવે અને અધિકારીઓની આળસુવૃદ્ધિના લીધે ઘણા ખેડૂતો સર્વેથી બાકાત રહી ગયા હતા.
આ વિશે સંગતતાઓ એવી હતી કે ખેડૂતોને પૂરતી માહિતી નહોતી સર્વેની ટીમો દ્વારા સર્વે કર્યા બાદ ગામના ઘણા બધા ખેડૂતોના કપાસ અને નુકસાન થયું હોય ગ્રામસેવક તેમના ખેતરે સર્વેમાં પણ આવ્યા હોય છતાં પણ સર્વેના નામની યાદીમાં તેઓના નામ રહી ગયા છે ગામોને ગામ એકમ ગણી તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવશે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનની મામલે સર્વે પણ કરાયા હતા જે થઈ ગયા ને સાત દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી હાલ લાખો ખેડૂતો સહાયની રાહમાં છે ત્વરિત નિર્ણય લઈ ખેતી સહાયની રકમ ખેડૂતોને તત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech