બચરવાળ શ્રમિક યુવાને પોતાના ઘરે કોઈકારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતે સારવાર માટે તળાજા ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.
તળાજા પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર (બંદર) ગામે રહેતા સંતોષભાઈ કેશાભાઈ બારૈયા (ઉ. વ.૩૨)એ પોતાના ઘરે કોઈકારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતે ૧૦૮મારફત તળાજાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા સંતોષભાઈના પરિવારમાં ભારે શોક છવાયો હતો.
ઘટનાની જાણ થતા તળાજા પોલીસના હે. કો. સવજીભાઈ બોરીચા સહિતનાઓએ હોસ્પિટલ દોડીજઈ સંતોષભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતક સંતોષભાઈના ભાઈ મુકેશભાઈએ આવેલા નિવેદનના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક સંતોષભાઈ છેલ્લા કેટલાક સમયથી મજુરી કામ સબબ રાજકોટ હોવાનું તેમજ ત્યાંથી મજુરીકામ પુરૂ કરી ઘરે આવ્યા બાદ કોઈ અકળકારણોસર અંતિમપગલું ભરી લેતા તેમના ૬સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું. બનાવથી સરતાનપર ગામમાં અરેરાટી પ્રસરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech