શેઠ વડાળામાં આઈશર વાહન બેકાબૂ બનીને વાડીની ઓરડી સાથે ધડાકાભેર અથડાયું

  • April 26, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓરડી તથા ખેતીના ઓજારોને ચાર લાખનું નુકસાન: જયારે આઇસર ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયો



જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના શેઠ વડાળા ગામની વાડી વિસ્તારમાં એક આઇસર વાહનનો ચાલક બેકાબૂ બન્યો હતો, અને એક ખેડૂતની વાડીની ઓરડીમાં ઘૂસી ગયો હતો અને વાડીની ઓરડીની દિવાલ તથા ખેતીના ઓજારોને રૂપિયા ચાર લાખનું નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે પોતે પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થયો છે. જે મામલે શેઠવડાળા પોલીસ તપાસ ચલાવે છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જિલ્લા પંચાયત કર્મચારી નગરમાં રહેતા અને શેઠ વડાળા વિસ્તારમાં વાડી ધરાવતા સોમાભાઈ માયાભાઇ રાઠોડ નામના ૭૦ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાની વાડીમાં આવેલી ઓરડીની દીવાલ સાથે વાહન અથડાવી ઓરડી ની દીવાલને તેમજ અંદર રાખવામાં આવેલા ખેતીના ઓજારોને પણ અંદાજે રૂપિયા ચાર લાખનું નુકસાન પહોંચાડવા અંગે જી.જે. ૧૦ ટી એક્સ. ૯૫૮૫ નંબરના આઈશર ના ચાલક રાકેશ ગોવિંદભાઈ વાઘેલા સામેં ફરિયાદ નોંધાવી છે.

જે વિચિત્ર અકસ્માતમાં વાહન ચાલક રાકેશ વાઘેલા પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થયો છે, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આઇસર વાહનના ચાલક સામે પોલીસે ગુન્હો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application