જમ્મુ-કાશ્મીરમાં માઇનસ ડીગ્રીથી નીચે તાપમાન ગયા બાદ આબુમાં પણ તાપમાન -૩ ડીગ્રી થઇ ગયાની અસર સમગ્ર ગુજરાત ઉપર પડી છે, જેને કારણે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઠંડીનું મોજુ ફરીવળ્યું છે, શીત લહરને લીધે લોકો ઠીંગરાઇ ગયા છે, પશુ-પંખીને ઠંડીની અસર થઇ છે, જયાં જુઓ ત્યાં ઠાર હી ઠાર જેવો માહોલ જોવા મળ્યો છે, ત્યારે આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ સર્જાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને જામનગરમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન ૧૨.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે. આજે ઠંડીનો ચમકારો વધુ છે, ગઇકાલે ૧૨.૫ ડીગ્રી તાપમાન કલેકટર કચેરીના ક્ધટ્રોલ મે દર્શાવ્યું હતું, પરંતુ આજે વધુ ઠંડી હોવા છતાં લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી દર્શાવાતા ક્ધટ્રોલ મના ઠંડીના આંકડા ઉપર પણ શંકા વ્યકત થઇ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૫.૨ ડીગ્રી, હવામાં ભેજ ૫૧ ટકા અને પવનની ગતિ ૩૫ થી ૪૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વૂધે તેવી પુરી શકયતા છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, ૩૫ થી ૪૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે, જામનગર શહેરમાં ફુટપાથ ઉપર સુતેલા ભિક્ષુકોને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા છે, ગુજરાતમાં ગીરનારમાં ૪, નલીયા ૫, રાજકોટ ૯ ડીગ્રી ઠંડીને કારણે આ શહેરોમાં પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. લોકો ગરમ કપડામાં વિંટાયા છે ત્યારે હજુ બે દિવસ સુધી તાપમાન બે થી ચાર ડીગ્રી ગગડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ઠંડીએ સા એવું જોર પકડયું છે, હજુ આગામી અઠવાડીયા સુધી ભારે ઠંડીનો માહોલ રહેશે અને કેટલાક જિલ્લામાં તાપમાન ૧૦ ડીગ્રીથી પણ નીચુ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, એટલે કે આગામી દિવસોમાં લોકોએ શીત લહરનો સામનો કરવો પડશે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. શિયાળામાં આ વખતે ઠંડીનો પ્રથમ વખત ચમકારો જોવા મળ્યો છે અને હજુ આગામી દિવસ ઠંડીમાં ચોકકસપણે વધારો થશે. હવામાન ખાતુ પણ કહે છે કે, ચારથી પાંચ દિવસ સુધી વાતાવરણ ઠંડુ રહેશે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech