સમય ગ્રુપ દ્વારા વિશિષ્ટ પ્રકારનું સેવાકાર્ય યોજવામાં આવ્યું હતું તીવ્ર ઠંડીમાં પોરબંદરના યુવાનોએ પાંચ કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ફરીને ગૌમાતાને રીંગણા તથા ગાજર અને શ્ર્વાનો ને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા.
સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડા પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવાકાર્યો કરવામાં આવે છે. ત્યારે હાલમાં સમય ગ્રુપ દ્વારા પશુઓના જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ રાત્રે યોજવામાં આવ્યો હતો જેને લોકોએ અને જીવદયા પ્રેમીઓએ આવકાર્યો હતો. પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં સમય ગ્રુપના યુવાનો દ્વારા ગૌમાતાઓને ૧૧૧૧ કિલો રીંગણા તથા ગાજર અને શ્ર્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા
ગૌમાતા અને શ્ર્વાન માટે સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાઓ માટે રીંગણા તથા ગાજર અને શ્ર્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા સરકારી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં, જુનો ફુવારો આસપાસ, બિરલા હોલની આજુ બાજુમાં ખીચડી પ્લોટ પાસે રામ ગેસ્ટ હાઉસ પાસે, કડિયા પ્લોટ ફાટક, આસપાસ મિલની ચાલી આસપાસ ના વિસ્તારમાં સત્યનારાયણ મંદિરથી કમલાબાગ વિસ્તારમાં,જડેશ્ર્વર મંદિર કાવેરીની સામેના ભાગમાં, રિવરફ્રન્ટ ની સામે,નરસંગટેકરી આસપાસ વિસ્તારમાં રાજીવનગર આસ પાસના વિસ્તારમા કલેકટર ઓફિસ પાસે મોદીનગર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે બંદર રોડ પાસે સ્વસ્તિક હોલ આસપાસ,પાલાના ચોકમાં, શહીદ ચોક આસ પાસ નવાપરા આસપાસના વિસ્તારમાં ગૌમાતાઓ માટે રીંગણા તથા ગાજર અને શ્ર્વાનોને બિસ્કીટ ખવડાવામાં આવ્યા હતા સમય ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે રાત્રે બાર વાગ્યાથી વહેલી સવારે ચાર વાગ્યા સુધીની આ અમૂલ્ય સેવાને જોઈ ઈશ્ર્વર પણ ચોક્કસ રાજી થઈને આ તમામ યુવાનો ઉપર આશીર્વાદ વરસાવતા હશે સમય ગ્રુપના આ સેવાભાવી યુવાનોની કામગીરીને પોરબંદર વાસીઓએ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech