દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શીલાયન્સ કરાયું હતું. ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના તેમજ ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ અને પોરબંદર સ્ટેશનો પર સ્ટોલ/ટ્રોલી લગાવવામાં આવી હતી. આ સાથે જ લીલીયા મોટામાં લિપ, અમરેલી સ્ટેશનથી એગ્રો ટર્મિનલ (FCI સાઇડિંગ) અને ખીજડિયા-અમરેલી બ્રોડગેજ સેક્શનનું ઉદ્ઘાટન, બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ વિકાસના કર્યોના ઉદ્ઘાટન અને શીલાયન્સ પ્રસંગે ડિવિઝનના તમામ સ્ટેશનો પર કેન્દ્રીય મંત્રીઓ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો હાજર ખાસ હાજર રહ્યા હતા. તેમજ ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન ખાતે સાંસદ તેમજ મહાનગર પાલિકાના મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિતના આગેવાનો, રેલવેના ડીઆરએમ, ડીસીએમ સહિતના અધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech