ઇન્કમટેકસ વિભાગ દ્રારા આગામી ટૂંક સમયમાં ઝુંબેશ શ કરી જે લોકોએ રિટર્ન ફાઇલ નથી કયુ તેવા કરોડો કરદાતાઓ પર તવાઈ ઉતરશે. સીબીડીટીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આગામી ટૂંક સમયમાં જે કરદાતાઓએ રિટર્ન ફાઈલ નથી કયુ તેમને નોટિસો અપાશે.
નવા નાણાકીય વર્ષ સાથે જ આવકવેરા વિભાગે કરચોરીને ડામવા માટે તૈયારીઓ શ કરી દીધી છે આ વર્ષની શઆત સાથે જ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે અને જે વ્યકિતગત કરદાતાઓ અને વેપારી અને ઔધોગિક એકમો દ્રારા ટીડીએસ આપ્યો છે પરંતુ રિફડં મેળવવા માટે રિટર્ન ફાઇલ નથી કર્યા તેવા દોઢ કરોડ લોકો આવકવેરા વિભાગની રડારમાં આવ્યા છે આ તમામની યાદી બનાવી હવે ૧૫ મી એપ્રિલથી તબક્કાવારે નોટીસો ફટકારવામાં આવશે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ વર્ષે વ્યકિતગત અને કોર્પેારેટ કંપનીઓમાંથી નિર્ધારિત લયાંક કરતા વધુ ટેકસ ચૂકવાયો છે તેમ છતાં કરચોરી માટે કોઈપણ છટકબારી આવકવેરા વિભાગ રાખવા ઈચ્છતું નથી જેના ભાગપે નવા નાણાકીય વર્ષથી ઇન્કમટેકસના વિભાગે નવી ઝુંબેશ શરૂ કરશે. જે અંતર્ગત આઈ.ટી ડિપાર્ટમેન્ટ દ્રારા એક ડેટા તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત દેશભરના એવા કરદાતાઓ કે જેમને ટીડીએસનો લાભ લીધો છે પરંતુ ટેકસ રિટર્ન ફાઇલ નથી કયુ તેવા દેશભરમાંથી દોઢ કરોડ લોકોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech