દેશમાં ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇ દ્વારા વ્યવહારોની સંખ્યા 2024 ના પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધોરણે 52 ટકા વધીને 78.97 અબજ થઈ ગઈ છે. પેમેન્ટ ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઈડર ’વર્લ્ડલાઈન’ દ્વારા જાન્યુઆરી-જૂન, 2024 માટે તૈયાર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2023માં યુપીઆઇ વ્યવહારોની સંખ્યા 12.98 લાખ હતી. જે જૂન, 2024 સુધીમાં વધીને 20.07 કરોડ થઈ ગઈ છે. ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં આ વધારો ચુકવણી મૂલ્યમાં થયેલા વધારા સાથે પણ મેળ ખાય છે. જાન્યુઆરી, 2023માં યુપીઆઈ દ્વારા 12.98 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. જે જૂન, 2024માં વધીને 20.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયા હતા.
આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુપીઆઇ વ્યવહારોની સરેરાશ ટિકિટમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સરેરાશ ટિકિટનું કદ રૂ. 1,603 હતું જ્યારે આ વર્ષના પ્રથમ છ મહિનામાં તે ઘટીને રૂ. 1,478 પર આવી ગયું છે. ટિકિટના સરેરાશ કદમાં વ્યક્તિ-થી-વ્યક્તિ અને વ્યક્તિ-થી-શોપ વ્યવહારોનો સમાવેશ થાય છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં યુપીઆઇ વ્યવહારોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. ફોન પે યુપીઆઇ વ્યવહારોની સંખ્યા અને મૂલ્ય બંનેના સંદર્ભમાં યુપીઆઇ અગ્રણી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, ત્યારબાદ ગૂગલ પે અને પેટીએમ આવે છે. આ સમયગાળા દરમિયાન યુપીઆઇ ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં 40 ટકાનો વધારો થયો છે. તે રૂ. 83.16 લાખ કરોડથી વધીને રૂ. 116.63 લાખ કરોડ થયો છે.
વર્લ્ડલાઇન ઇન્ડિયાના સીઇઓ રમેશ નરસિમ્હને જણાવ્યું હતું કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સમાં આ નોંધપાત્ર વૃદ્ધિ ખાસ કરીને વ્યક્તિ-થી-શોપ સેગમેન્ટમાં માઇક્રો ટ્રાન્ઝેક્શન માટે પસંદગીની પદ્ધતિ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આ લાંબા ગાળાની ટકાઉપણું અને આગામી વર્ષોમાં મોટા વ્યવહારો તરફ આગળ વધવાનો સંકેત આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech