સુવરડા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાની ભુતપુર્વ વિદ્યાર્થીની દ્વારા ધ્વજવંદન કરવામા આવ્યુ.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કવાયત દેશભક્તિગીતો રજૂ કરવામાં આવ્યા.શાળાના આચાર્ય વિપુલભાઇ વાઘેલાના હસ્તે શાળાના રૂપલબેન લવાને પ્રતિભાશાળી શિક્ષકનુ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ.સુવરડા પ્રાથમિક શાળા અને સુવરડા ગ્રામપંચાયત દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા મિયાત્રા કનુભાઇ હરીભાઇ તરફથી બધા બાળકોને નાસ્તો, ફુલસ્કેપ ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામા આવ્યુ.લોખિલ ભગીરથભાઇ તરફથી બાળકોને ગિફટ આપવામાં આવી.સ્વ.દિનેશભાઇ મનસુખભાઇ નંદાના સ્મરણાર્થે નંદા મનસુખભાઈ ગોવિંદભાઈ ના પરીવાર હસ્તે નંદા નિતિનભાઇ અને નંદા હિતેશભાઇ તરફથી દરેક બાળકોને ફુલસ્કેપ ચોપડા તેમજ ટ્રેડિશનલ ડ્રેસ માટે 25,000 (પચીસ હજાર રૂપીયા) નુ શાળાને દાન આપવામાં આવ્યુ.આ તકે સુવરડા પ્રાથમિક શાળા વતી આચાર્ય વિપુલભાઇ વાઘેલાએ તેમનો આભાર વ્યક્ત કર્યો.આ મુજબ શ્રી સુવરડા પ્રા. શાળાના આચાર્યની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech