સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા જાહેર કરાયેલા મુખ્ય અહેવાલ, વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2025 અનુસાર, ભારતીય અર્થતંત્ર 2025માં 6.6 ટકા અને 2026માં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે, જેને મજબૂત ખાનગી વપરાશ અને રોકાણ વૃદ્ધિ દ્વારા ટેકો આપવામાં આવશે.
2024ના મધ્યભાગના અંદાજોથી 2025ના વિકાસની સંભવિતતાને યથાવત રાખતા, યુએન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં, જાહેર ક્ષેત્ર મોટા પાયે માળખાગત પ્રોજેક્ટ્સ, ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી અને સામાજિક માળખાગત સુવિધાઓને ભંડોળ પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં સ્વચ્છતા અને પાણી પુરવઠામાં સુધારો શામેલ છે. મજબૂત રોકાણ વૃદ્ધિ 2025 સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે.
અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે આગામી વર્ષોમાં માળખાગત વિકાસ પર મૂડી ખર્ચની વૃદ્ધિ પર મજબૂત ગુણાકાર અસરો થવાની ધારણા છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વિસ્તરણ અર્થતંત્રને આગળ ધપાવતું રહેશે, જ્યારે સેવાઓ અને ફામર્સ્યિુટિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચોક્કસ શ્રેણીઓમાં મજબૂત નિકાસ વૃદ્ધિ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે.
તેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે 2024માં અનુકૂળ ચોમાસાના વરસાદથી તમામ મુખ્ય પાક માટે ઉનાળાના વાવણી વિસ્તારોમાં સુધારો થયો છે, જેનાથી 2025 માટે કૃષિ ઉત્પાદનની અપેક્ષાઓ વધી છે.
યુએનના અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ એશિયામાં આર્થિક વૃદ્ધિ 2025માં મજબૂત રહેવાની ધારણા છે, જે મુખ્યત્વે ભારતમાં મજબૂત પ્રદર્શનને કારણે છે. આ પ્રદેશ 2025માં 5.7 ટકા અને 2026માં 6 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે.
અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભવિષ્યના જોખમોમાં ભૂ-રાજકીય તણાવમાં સંભવિત વધારો, બાહ્ય માંગમાં ઘટાડો, ચાલુ દેવાના પડકારો અને સામાજિક અશાંતિનો સમાવેશ થાય છે. વધુમાં, આ પ્રદેશ આબોહવા જોખમોની અસર માટે ખૂબ જ સંવેદનશીલ છે, જેમાં ભારે હવામાન ઘટનાઓ નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.
અહેવાલમાં ભારત જેવા સંસાધન સમૃદ્ધ વિકાસશીલ દેશો માટે મહત્વપૂર્ણ ખનિજોની વધતી માંગ દ્વારા વૃદ્ધિને વેગ આપવા, નોકરીઓનું સર્જન કરવા અને રોકાણ માટે જાહેર આવક વધારવાની તક પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech