પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુમલા સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી તે દિલ્હી પહોંચ્યા. ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહેમદ વારચને સમન્સ પાઠવ્યું છે. ભારતે પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને એક ઔપચારિક પર્સોના નોન ગ્રેટા નોટ સોંપી. બંને દેશોના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારતે પાકિસ્તાન સામે પાંચ કઠિન નિર્ણયો લીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ રહેશે. આના કારણે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવર પણ બંધ થવા જઈ રહી છે. ભારત પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવા જઈ રહ્યું છે. આનાથી રાજદ્વારી સંબંધોમાં મોટો ફેરફાર આવી શકે છે.
ભારતે સિંધુ જળ સંધિ અટકાવી દીધી છે. આની પાકિસ્તાન પર મોટી અસર પડશે. આ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે 62 વર્ષ પહેલાં થઈ હતી. આ સંધિને કારણે પાકિસ્તાનને ઘણું પાણી મળે છે, પરંતુ હવે તેની મુશ્કેલીઓ વધશે.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ભારતીય સેનાએ પીઓકેમાં 42 આતંકવાદી છાવણીઓની ઓળખ કરી છે. જરૂર પડ્યે સેના અહીં વિનાશ મચાવી શકે છે. આતંકવાદીઓના કેમ્પ અલગ અલગ સ્થળોએ છે. ઉત્તર પીર પંજાલમાં 10 અને દક્ષિણમાં 32 કેમ્પ હોઈ શકે છે. અહીં કુલ ૧૩૦ આતંકવાદીઓ હોઈ શકે છે. હવે પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકથી ડરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech