ગઈકાલે મોડી રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો. બંને દેશો યુદ્ધની અણી પર ઉભા છે. ગઈકાલે સાંજે પાકિસ્તાને ભારતમાં 26 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આના જવાબમાં ભારતે પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવ્યા અને ત્યારબાદ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું. તેવી જ રીતે પાકિસ્તાન દ્વારા ભારત પર ફતેહ-1 મિસાઇલ છોડવામાં આવી હતી જેને ભારતે તોડી પાડી હતી. છેલ્લા બે દિવસથી રાત્રે ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલી પાકિસ્તાની મિસાઇલોને નષ્ટ કર્યા બાદ, આજે ભારતીય સેનાએ તેના આતંકવાદી લોન્ચ પેડનો પણ નાશ કર્યો.
ભારતીય સુરક્ષા દળો દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરતા જોઈ શકાય છે. વીડિયોમાં, ભારતીય સેના પાકિસ્તાની નિશાન પર નિશાન સાધતી જોવા મળે છે. આ પછી તરત જ, પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યાં ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાય છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાનો ભારતે વળતો જવાબ આપ્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનના ઘણા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.
શનિવારે સવારે ભારતે રાજધાની ઇસ્લામાબાદ નજીક સ્થિત કુલ ચાર એરબેઝ પર મિસાઇલો છોડી અને વિનાશ વેર્યો. મોડી રાત્રે ટેલિવિઝન પર પ્રસારિત થયેલા નિવેદનમાં, પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું - ભારતે તેના વિમાનનો ઉપયોગ કરીને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલોનો મારો ચલાવ્યો.
જમ્મુ અને કાશ્મીરમાં વાયુસેના સ્ટેશનને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા. ગુજરાતના કચ્છમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યો છે.
પઠાણકોટમાં પણ વહેલી સવારે ઘણા વિસ્ફોટ થયા. ઓછામાં ઓછા અડધા કલાક સુધી તૂટક તૂટક વિસ્ફોટો ચાલુ રહ્યા. અમૃતસર પ્રશાસને કહ્યું કે અમે રેડ એલર્ટ પર છીએ. લોકોને તેમના ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. ફિરોઝપુર અને ભટિંડા વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા અને સાયરનના અવાજ પણ સંભળાયા.
સવારે ૫.૨૦ વાગ્યે શ્રીનગર એરપોર્ટ નજીક અને સવારે ૪.૫૦ વાગ્યે બારામુલ્લા અને ઉધમપુરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા. ગોળીબારને કારણે જમ્મુ શહેરના રહેણાંક વિસ્તારોને નુકસાન થયું છે. ઘણા ઘરોને નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech