૧૪ દેશ અને ૨ રાજ્યના પતંગબાજોની રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની: ઉત્સાહથી પતંગ ચગાવીએ અને જીવદયાનું ધ્યાન પણ રાખીએ: ધારાસભ્ય શ્રી પબુભા માણેક
ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ યોજાયો હતો. આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઇસ્ટોનીયા, મલેશિયા, નેધરલેન્ડ, નેપાળ સહિત ૧૪ દેશના અને ૨ રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ધારાસભ્ય શ્રી પબુભા માણેક એ જણાવ્યું હતું કે, આનંદ અને ઉત્સાહનું આ પર્વ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત, રણ ઉત્સવ, પતંગ મહોત્સવ જેવા મહોત્સવને આગળ લઈ જવાનું કાર્ય વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુંદર આયોજન દ્વારકાના આંગણે થયું છે. ધારાસભ્યશ્રીએ આ તકે ઉત્સાહ સાથે પતંગ ચગાવવાની સાથે જીવદયાનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
આ તકે અગ્રણી શ્રી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વ નિમિતે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઉમંગથી ઉજવીએ અને પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો, દ્વારકાવાસીઓ, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ઝાંઝરી ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારીશ્રી ભગોરા, ઓખા નગરપાલીકા પ્રમુખશ્રી ઉષાબહેન ગોહેલ, જિલ્લા પંચાયતના જીતેન્દ્રભાઈ કણઝારીયા, સંજયભાઈ નકુમ, લુણાભા સુમાણીયા, અગ્રણીશ્રી ભરતભાઈ ચાવડા, વિજયભાઈ બુજડ, વરજાંગભા માણેક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech