ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ ઓછામાં ઓછા થોડા વધુ દિવસો સુધી ટકી રહેવાની શક્યતા છે. ઇઝરાયલ દ્વારા શનિવારે યોજાનારી 600 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિમાં વિલંબ થયો હતો. ઇઝરાયલે કહ્યું કે હમાસે બંધકોને મુક્ત કરતી વખતે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું. હમાસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેદીઓની મુક્તિમાં વિલંબ તેમના યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન છે.
ઇઝરાયલ અને હમાસના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં મૃત બંધકોના મૃતદેહોની આપ-લે કરવા સંમત થયા છે.
600 કેદીઓની મુક્તિમાં વિલંબ
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ ઓછામાં ઓછા થોડા વધુ દિવસો સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. ઇઝરાયલ દ્વારા શનિવારે 600 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની યોજના હતી, જે મોડી પડી હતી. આ અંગે ઇઝરાયલે કહ્યું કે હમાસે બંધકોને મુક્ત કરતી વખતે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું.
આ અંગે હમાસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે કેદીઓને મુક્ત કરવામાં વિલંબ એ તેમના યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન છે અને જ્યાં સુધી કેદીઓને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી વાતચીતનો બીજો તબક્કો શક્ય નથી.
યુદ્ધવિરામ નિષ્ફળ જવાનો ભય હતો
બંને પક્ષે આવી ગતિરોધને કારણે, યુદ્ધવિરામ નિષ્ફળ જવાનો ભય હતો. તમને જણાવી દઈએ કે છ અઠવાડિયાના યુદ્ધવિરામનો પહેલો તબક્કો આ અઠવાડિયે સમાપ્ત થવા જઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech