અગાઉ નોટીસ આપી છે પરંતુ જેમનો વેરો ા.1 લાખથી વધુ છે તેવા હજુ પણ ત્રણ હજારથી વધુ મિલ્કતધારકોએ વેરો ન ભરતા કડક કાર્યવાહી થશે
જામનગર કોર્પોરેશન દ્વારા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી ા.1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 239 મિલ્કતધારકોએ નોટીસ ફટકારી દેવામાં આવી છે, ખુલ્લા પ્લોટો છે અને વેરો ભર્યો નથી તેવા માલીકોને પણ નોટીસ અપાઇ છે, અગાઉ રેલ્વે ખાતાને પણ નોટીસ ફટકારીને 10 મિલ્કત જપ્ત કરી દંડ વસુલ કર્યો હતો અને આગામી દિવસોમાં જુના રેલ્વે સ્ટેશન સહિત કેટલીક રેલ્વેની મિલ્કતો પણ પિયા નહીં ભરે તો નોટીસ ફટકારવામાં આવશે તેવી ચિમકી પણ આપી દેવાઇ છે. જે નોટીસ અપાઇ છે તેમાં સીટી સર્વે કચેરીમાં એન્ટ્રી કરાવી ગીરો હકક સ્થાપીત કરવાની કોર્પોરેશને કાર્યવાહી શ કરતા ભારે ચકચાર જાગી છે.
જાણવા મળતી માહિતી મુજબ મિલ્કત વેરા પેટે બારદાનવાલા ડેવલપમેન્ટ નામની બેડી બંદર રોડની 93 મિલ્કતોની ા.35.68 લાખની મિલ્કત જેમાં અશોક ચંદરીયાનું નામ છે, ઉપરાંત રાજકોટ અને ખંભાળીયા હાઇવે પરની 106 મિલ્કતો, બેડેશ્ર્વર ઓઇલ મીલ વિસ્તારમાં ા.16 લાખ પેટે ગાયત્રી કાસ્ટીંગ ભરતસિંહ સરદારસિંહ નામની બે મિલ્કતો ા.9.47 લાખ રકમ પેટે દ્વારકા હાઇવે ઉપરની ઇન્ડસ્ટ્રીયલ પાર્કવાળી કંચનબેન કાંતિલાલ નામવાળી 10 મિલ્કતોના ા.5.13 લાખ બાકી છે.
આ ઉપરાંત રામભાઇ ઓડેદરા નામની બેડી રીંગ રોડ પર નિલકંઠ પાર્કવાળી ા.5.13 લાખ અને અન્ય મિલ્કતો ા.7.39 લાખની રકમ પેટે કીર્તીકુમાર લખમણભાઇ નામની ખીજડીયા બાયપાસ પાસેથી છ મિલ્કતો, ા.2.52 લાખની રકમ પેટે કાનજીભાઇ બારડ નામની ચાર મિલ્કત, ા.72 હજાર બાકી છે તે મહાપ્રભુજીની બેઠક પાસે સુભાષભાઇ શાહની એક મિલ્કત અને મહાપ્રભુજીની બેઠક પાસે ા.1.26 લાખની મંજુલાબેન શાહની બે મિલ્કત સહિત કુલ 1 લાખથી વધુ રકમ બાકી છે તેવી 239 મિલ્કતોનો સાંસ્કૃતિક કબ્જો લેવા માટેની કડક કાર્યવાહી શ કરી દેવામાં આવી છે. શહેરમાં ટીપી-ડીપી રોડ પર ખુલ્લા કરાશે અને તેના માટે પણ આખરી નોટીસ પુરી થવાને માત્ર એક-બે દિવસ બાકી છે ત્યારે આગામી દિવસોમાં મજબુત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવાગામ ઘેડ, ગાંધીનગર મેઇન રોડ, સ્વામીનારાયણ નગરનો રસ્તો ખુલ્લો કરવા કડક કાર્યવાહી થશે જેની સામે લોક વિરોધ થવાની પણ શકયતા દેખાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech