સાંસદ પૂનમબેન માડમની રજૂઆત ફળી
જામનગર-બિલાસપુર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને અંતે ઓખા સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન દર મંગળવારે ઓખા આવશે અને શનિવારે બિલાસપુર જવા રવાના થશે.
આ રજૂઆતો તથા સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળી છે. હવે આ ટ્રેન જામનગર-બિલાસપુરના બદલે ઓખા-બિલાસપુર વચ્ચે દોડશે. ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢને આવરી લેતી આ ટ્રેન સુરતથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સુધી પહોંચશે.
આ ટ્રેનથી ભારતના ૮૪ બેઠકમાંના ચંપારણ બેઠકજી જવા માટે રાયપુર સ્ટેશનથી આ બેઠકજી જવા માટે વૈષ્ણવ સંપ્રદાયને વધુ સરળતા રહેશે. અત્રે એ નોંધનીય છે કે કુલ ૮૪ બેઠકમાંના સાત બેઠકજી સૌથી વધુ હાલાર વિસ્તારમાં આવેલ છે. આ ઉપરાંત આ ટ્રેન આરએસએસના મુખ્ય મથક નાગપુર વિગેરે જગ્યાથી પસાર થનાર હોય, જેથી તીર્થક્ષેત્રો અને કોર્પોરેટ તથા આમ પ્રવાસીઓ માટે વધુ સાનુકૂળ રહેશે.
ત્રણ રાજ્યોને જોડતી આ ટ્રેન દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સોમનાથ સહિતના ક્ષેત્રોમાં આવવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ ઉપરાંત ત્રણ રાજ્યોના કોર્પોરેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ, નયારા રિફાઈનરી, આરએસપીએલ કંપની વિગેરે હાલારની કંપનીના મુસાફરોને અવરજવર માટે વધુ એક ટ્રેનની સુવિધા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech